Webdunia - Bharat's app for daily news and videos

Install App

GSEB-રાજ્ય સરકારે બોર્ડની પરીક્ષાના પેપરોના મુલ્યાંકન અંગે એક મોટો નિર્ણય લીધો

Webdunia
સોમવાર, 30 માર્ચ 2020 (16:30 IST)
રાજ્યમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય મુજબ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બોર્ડની પરીક્ષાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. સરકારે લૉકડાઉનના પગલે આ મોટું પગલું ભર્યું છે. આ સાથે જ સરકારે મુલ્યાંકન કેંદ્રો બંધ રાખી અને કેંદ્રો પર આગ, પાણી, ઉધઈ વગેરેથી કોઇ નુકશાન ન થાય તેવુ ધ્યાન રાખવુ જરુરી પોલીસ પ્રોટેકશન પણ રાખવા આદેશ આપ્યો છે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ ડી.એસ.પટેલે એક પરીપત્ર જાહેર કરી અને મુલ્યાંકન કેન્દ્રના નિયામકને આ નિર્ણય અંગેની જાણકારી આપી છે. અગાઉ 21-3-2020થી 31-3-2020 સુધી બોર્ડના પેપરની મુલ્યાંકનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, હવે આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી સ્થગિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments