Webdunia - Bharat's app for daily news and videos

Install App

જુનાગઢના પૂર્વ કોર્પોરેટની સરેઆમ હત્યા, રાજકોટથી પકડાયા 3 આરોપી

Webdunia
ગુરુવાર, 3 જૂન 2021 (12:55 IST)
જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની જાહેરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવતાં શહેરમાં ખળભટાળ મચી જવા પામ્યો છે. પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો શરીર પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ શહેરમાં બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના બારેક વાગ્યાની આસપાસ પૂર્વ મેયર અને કોંગ્રેસના આગેવાન લાખાભાઇ પરમારનો પુત્ર ધર્મેશભાઇ પરમાર (ઉ.વ.49) એકટિવા પર જઇ રહ્યો હતો તે સમયે તેનો પીછો કરી અજાણ્‍યા શખ્‍સોએ અચાનક તીક્ષણ હથિયારો વડે ઘર્મેશભાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ધમેશ પરમારને હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
 
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પોલીસ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં આસપસાના સીસીટીવી ફંફોળ્યા હતા જેમાં ત્રણ શંદાસ્પદો નજરે પડ્યા હતા. જેમાં ત્રણેય શખ્સો રાજકોટ તરફ જતા દેખાયા હતા. આથી રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. 
 
જૂનાગઢમાં હત્યાને અંજામ આપનારા ત્રણ શખ્સો રાજકોટ તાલુકા પોલીસના હાથે ઝડપાયા છે. ત્યારબાદ જૂનાગઢ એસઓજીએ ત્રણેય આરોપીઓનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે કોઇ રાજકીય હત્યામાં હત્યા કરી હોવાનું લાગી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

આગળનો લેખ
Show comments