Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિઝલ બચશે અને ઝડપ પણ મળશેઃ ગુજરાતમાં આગામી વર્ષોમાં ટ્રેનો વીજ સપ્લાયથી દોડાવાશે

ડિઝલ બચશે અને ઝડપ પણ મળશેઃ ગુજરાતમાં આગામી વર્ષોમાં ટ્રેનો વીજ સપ્લાયથી દોડાવાશે
Webdunia
સોમવાર, 25 નવેમ્બર 2019 (12:07 IST)
રેલવે વિભાગે ડીઝલ એન્જિન બંધ કરી તેના સ્થાને ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં પણ તમામ રેલવે રૂટનું ઝડપી ઇલેક્ટ્રિફિકેશન કરાઈ રહ્યું છે, જેના પગલે 2021ના અંત સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાં ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ શરૂ કરી દેવાશે. આ વિશે વધુ માહિતી આપતા રેલવે અધિકારીએ જણાવ્યું કે, વાયુ પ્રદૂષણ ઘટાડવા ગુજરાત સહિત દેશભરમાં ડીઝલ એન્જિનનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી છે. ડીઝલ એન્જિન બંધ કરાતા ડીઝલનો ખર્ચ બચવાની સાથે ટ્રેનો ઝડપી દોડશે. હાલ ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડતી તમામ ટ્રેનો ઈલેક્ટ્રિક એન્જિનથી દોડી રહી છે, જેના પગલે આ રૂટની ટ્રેનો 80થી 130 કિલોમીટરની ઝડપે દોડી રહી છે.તેમણે જણાવ્યું કે, પશ્ચિમ રેલવેમાં 1500 કિલોમીટર લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ કરી દેવાયું છે, જેમાં અમદાવાદ - મુંબઈ રૂટ ઉપરાંત અમદાવાદ-દિલ્હી રૂટ પર પણ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલી રહી છે. તેમાં અમદાવાદથી પાલનપુર સુધીની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.  
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments