Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત- મંદિરના આશ્રમમાં છપી રહ્યા હતા નકલી નોટ, સાધુ સંત સાથે 5 લોકો ગિરફ્તાર

ગુજરાત- મંદિરના આશ્રમમાં છપી રહ્યા હતા નકલી નોટ, સાધુ સંત સાથે 5 લોકો ગિરફ્તાર
, સોમવાર, 25 નવેમ્બર 2019 (10:47 IST)
પોલીસ આશરે 1 કરોડની નકલી ચલણ કબજે કરવામાં સફળતા મેળવી છે. સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચે શનિવાર અને રવિવારે ગુજરાતમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાંચે એક બાતમીદારની બાતમી પર કાર્યવાહી હાથ ધરી હતી અને 5013 નકલી 2000 ની નોટો મળી આવી હતી. આ નોટોની ફેસ વેલ્યુ 1,00,26,000 છે. શનિવારે ક્રાઈમ બ્રાંચની ટીમે સુરત જિલ્લાના કામરેજમાં આવેલા ફાર્મ હાઉસમાંથી પ્રિતિક ચોદવાડિયાની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી 203 નકલી નોટો મળી આવી હતી.
 
પૂછપરછ દરમિયાન પ્રવીણે અન્ય ચારના નામ આપ્યા હતા. પ્રવીણ પાસેથી મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે રવિવારે ખેડા જિલ્લાના આંબાવા ગામે અંડર-કન્સ્ટ્રકશન સ્વામી નારાયણ મંદિરના ઓરડામાં દરોડો પાડીને પુજારીની ધરપકડ કરી હતી.
 
સ્વામી રાધારમણ નામના આ પુજારી પાસેથી લગભગ 50 લાખ રૂપિયાની નકલી 2000 નોટો મળી આવી હતી. અન્ય ત્રણ આરોપી પ્રવીણ ચોપડા, કાળુ ચોપડા અને મોહન વધુરાદેને સુરત જિલ્લાના સરથાણાથી ધરપકડ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિષયોનો ઉપયોગ કરો, તેના ઉપભોગમાં ના ફસાવોઃ પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યાજી