Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે વસતા 2112 લોકોનું સ્થળાંતર, 25 ગામોને એલર્ટ કરાયા

Webdunia
મંગળવાર, 2 જૂન 2020 (20:15 IST)
ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનું ટકરાવાનું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે પગલે જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકાના 2112 લોકો 42 આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં વાગરામાં તાલુકાના 1415, જંબુસર તાલુકાના 649 અને હાંસોટ તાલુકાના 48 લોકોનો સમાવેશ થાય છે. તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના 25 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં જંબુસર તાલુકાના ઝામડી, ટંકારી, મોરોદપુર નેજા , નાળા, દેવલા, સારોદ, માલપુર, ખાનપુર, આસરસા, ઇસ્લામપુર, કાવી, દહેગામ અને કંબોઇનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાગરા તાલુકાના લખીગામ, વેંગણી, રહીયાદ, સુવા, દહેજ, લુવારા, અંબેટા, જાગેશ્વર, ગંધાર, કલાદરા અને કોલિયાદનો સમાવેશ થાય છે અને હાંસોટ તાલુકાના કંટીયાજાળ ગામનો સમાવેશ થાય છે. અંકલેશ્વરમાં મંગળવારના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેમજ વરસાદ પડ્યો હતો. આલીયાબેટ ખાતે અલગ-અલગ કબીલામાં રહેતા 2 કબીલા દરિયા કિનારાની વધુ નજીક રહે છે. તેવા 2 કબીલામાં એક સ્થળેથી 20 તેમજ બીજા સ્થળેથી 30 લોકોને પરિવાર સાથે અન્ય કબીલા સમૂહને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments