Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનામાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનામાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય
Webdunia
બુધવાર, 5 મે 2021 (07:37 IST)
સમગ્ર વિશ્વ હાલમાં કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. થોડાં દિવસ પહેલાં ભરૂચ ખાતની વેલફેર હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી જેમાં 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે ગુજરાત સરકારે તમામ મૃતકો માટે 4 લાખની સહાય જાહેર કરી છે. 
 
તો બીજી તરફ જાણિતા કથાકાર મોરારિબાપુએ આ મૃતક લોકોનાં પરિવારજનને નુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા 5 હજારની તત્કાલ સહાય મોકલાવેલ છે.
રામકથાના શ્રોતાઓ તરફથી આ સહાય પહોંચતી કરાઇ છે.  કુલ18 મૃતકો લેખે 90 હજાર જેટલી આ સહાય મોકલી છે.  પૂજ્ય મોરારી બાપુએ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમનાં પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની કપરી સ્થિતીમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડોક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાનાં દાનની જાહેરાત કરી છે. જેમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને તેના સંલગ્ન સેવા કર્મચારીઓ તરફથી પાંચ લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments