Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય

Webdunia
ગુરુવાર, 16 જુલાઈ 2020 (15:16 IST)
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણીને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. વર્ષોથી યોજાતા મેળામાં દર વર્ષે 29 લાખ દર્શનાર્થીઓ પગપાળા અને અન્ય રીતે દર્શનાર્થે પહોંચે છે. 188 વર્ષથી અમદાવાદના લાલ દંડાવાળા સંઘ પગપાળા મા અંબાને 61 ધજા ચડાવે છે. વ્યાસવાડીથી પણ એક સંઘ 25 વર્ષથી પગપાળા પહોંચે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનાથી લઇને ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી સુધીના તહેવારો અંગે અમને ધાર્મિક- સામાજિક સંસ્થાઓ દ્વારા રજૂઆતો મળી રહી છે. એ જ રીતે વેપારીઓ દ્વારા પણ માલની ખરીદી કરવી, સ્ટોક કરવો કે નહીં તે અંગે રજૂઆતો મળી રહી છે. પરંતુ આ મામલે હાલ રાજ્ય સરકારે કોઇ નિર્ણય કર્યો નથી. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મળે તે પછી જ કોઇ વિચારણા કરવામાં આવશે. અમારા માટે નાગરિકોની સલામતી એ પ્રાથમિકતા છે. અંબાજી ગબ્બરની બાજુમાં જ ભાદરવી પૂનમને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સ્ટોલ ફાળવીને નાના-મોટા વેપારીઓને વેપાર કરવા માટે એક અઠવાડિયા જેટલા લાંબા ચાલતા મેળામાં તક આપવામાં આવે છે. જો કે આ વર્ષે વેપારીઓને આ તક નહીં મળે જેથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થશે. પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તિ, શક્તિ, તપ અને શ્રધ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટતાં હોય છે. એક અઠવાડિયા સુધી માનતા પૂરી કરવાથી લઈને વિવિધ ટેક સાથે પદયાત્રીઓ મા અંબાના દરબાર તરફ કૂચ કરતા હોય છે. માઈલોની પદયાત્રા કરી અંબાજી પહોંચી લાખો માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ માઈભક્તોનો પ્રવાહ ભક્તિભાવ ઉભરાતા જોવા મળતો હોય છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે માઈ ભક્તોનું અંબાજી તરફ ઘોડાપુર જોવા નહીં મળે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments