Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધઃ DEOનો પરિપત્ર

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (14:47 IST)
શિક્ષકો રિસેષ દરમિયાન તેમજ શૈક્ષણિક અને વહીવટી કામ માટે મોબાઈલ વાપરી શકશે
 

Ban on use of mobile phones in schools -  શહેરમાં શાળાઓમાં અભ્યાસ પ્રવૃત્તિ દરમિયાન શિક્ષકો બાળકોને ભણાવવાની જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની શિક્ષણ અધિકારીને રજૂઆતો મળી હતી. જેને લઈને શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હોય તે સમય દરમિયાન શિક્ષકોના મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સ્કૂલમાં શિક્ષકો શૈક્ષણિક અને વહિવટીકામ માટે મોબાઈલનો ઉપયોગ કરી શકશે.  
 
વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થાય છે
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, વાલીઓ અને સામાજિક આગેવાનોએ અમને ફરિયાદ કરી હતી કે, કેટલીક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થાય છે. હવે સૂચના આપવામાં આવી છે કે, સ્કૂલમાં શિક્ષણકાર્ય અને વહીવટ કાર્ય માટે જ મોબાઈલનો ઉપયોગ કરી શકાશે. 
 
મોબાઈલ ફોન આચાર્ય લોક એન્ડ કીમાં રાખી શકાશે
શિક્ષણ અધિકારીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શિક્ષકો શૈક્ષણિક કલાકો દરમિયાન મોબાઇલનો ઉપયોગ માત્ર શિક્ષણકાર્ય માટે જ કરી શકાશે. સ્કૂલના આચાર્ય દ્વારા આ અંગે તકેદારી રાખવાની રહેશે. મોબાઈલ ફોન આચાર્ય લોક એન્ડ કીમાં રાખી શકાશે. કોઈની સ્વતંત્રતા છિનવવાનો ઉદેશ નથી. રિસેષ દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. આ કરવાથી વિદ્યાર્થીનું શિક્ષણ સારું થશે. વહીવટી કાર્યમાં એકમ કસોટીના માર્ક વગેરે સહિતના કાર્ય કરવાના રહેશે.
< > Ban on use of mobile phones in schools< >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments