Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ, APMC માર્કેટ પણ રહેશે બંધ

Webdunia
શનિવાર, 9 મે 2020 (17:45 IST)
શહેરના લોકો માટે આજથી શાકભાજી મેળવવું મુશ્કેલ થશે. સુરત મહાનગરપાલિકાએ આજેથી શહેરમાં શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં પણ APMC માર્કેટ પણ આજથી બંધ રહેશે. શહેરમાં 16 જેટલા શાકભાજી વિક્રેતાઓના કેસ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં સૌથી વધુ કેસ છે તે લિંબાયત અને વરાછા-એ ઝોનમાં લોકોને બે  દિવસમાં શાકભાજી અને કરીયાણાની ખરીદી કરી લેવા જણાવાયું હતુ. ત્યારબાદ 10થી વધુ પોઝિટિવ કેસ આવશે તે વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ કરાવી દેવાનું એસએમસીએ કહ્યું હતું. માત્ર આ બે ઝોન જ નહી શહેરના દરેક મ્યુનિ. ઝોન માટે આ નિર્ણય લાગુ પાડવામાં આવ્યો હતો.

મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે છે ત્યાં  શાકભાજીવાળા, ડેરી પાર્લર, કરિયાણા સ્ટાર્સ  અને દવાની દુકાન ધારકોનું પણ ટેસ્ટીંગ શરૂ કરાયું છે. જેમાં 16 જેટલા વિક્રેતા પોઝિટિવ મળી આવ્યા હતા. તેમાં ડેરી ચલાવનારામાં ૪ કેસ, કરિયાણા સ્ટોર્સમાં પાંચ કેસ અને શાકભાજી, દૂધ વિક્રેતાઓમાં કેસ મળ્યા છે. જે વિસ્તારમાંથી શાકભાજી, કરિયાણા અને દુધના ધંધાર્થીઓના કેસ આવ્યા છે તે વિસ્તારમાં તમામ લોકોના સેમ્પલ લેવાશે. હાલમાં લિંબાયત અને વરાછા-એ ઝોનમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે. તેથી લોકોને એક-બે દિવસમાં શાકભાજી અને કરીયાણું ખરીદી  લેવા જણાવાયું છે. કારણ કે, આગામી એક-બે દિવસમાં જે વિસ્તારમાં ૧૦થી વધુ કેસ આવશે તે વિસ્તારમાં શાકભાજી અને કરિયાણાની દુકાનોને બંધ કરાવાશે. સૂચના બાદ પણ આવી દુકાનો ચાલુ રખાશે તો દુકાનોનું ગુમાસ્તાધારાનું લાયસન્સ જપ્ત કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments