Webdunia - Bharat's app for daily news and videos

Install App

છેલ્લા બે દિવસમાં અકસ્માતોની વણઝાર, 10 લોકોના મોત બાદ લોકોનો ચક્કજામ

Webdunia
બુધવાર, 22 મે 2019 (12:11 IST)
બોટાદ નજીક ઢસાના માંડવા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં 108 સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત માંડવા પાસે આવેલા રેલવેના પુલ પાસે બન્યો હતો. મળતી માહિતી અનુસાર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ટેન્કર અને પિક અપ વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે જ 10ના મોત થયા હતા. જેને પગલે આજે સ્થાનિકોએ બોરસદ-ગંભીરા હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. હાઈવે પર દોડતા ભારે વાહનોને લીધે અવારનવાર અકસ્માતો સર્જાતા છે. જેમાં નિર્દોષ વાહનચાલકો ભોગ બનતા હોય છે. તેની વારંવાર પોલીસને રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ જ પગલાં લેવામાં નહી આવતાં સ્થાનિક ગ્રામજનોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યુ છે.સ્થાનિક ગ્રામજનોએ ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ભારે વાહનોના હપ્તા લઇ ભાદરણ અને આંકલાવ પોલીસ વાહનોને બેફામ દોડવાના પરવાના આપતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. પોલીસ ભારે વાહનો સામે કોઈ જ પગલાં લેતી ન હોવાથી ભારે વાહનો બેફામ બની દોડતા હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments