અમદાવાદમાં BRTS ગોઝારી સાબિત થઈ, છેલ્લા ચાર વર્ષમાં 163 અકસ્માત
Publish Date: Wed, 09 Jan 2019 (12:36 IST)
Updated Date: Wed, 09 Jan 2019 (12:38 IST)
અમદાવાદમાં બીઆરટીએસ બસ મોતની બસ બની છે. કારણ કે બે દિવસમાં જ બીઆરટીએસ સાથે થયેલા અકસ્માતના 2 બનાવમાં 3 વ્યક્તીઓના મોત નિપજ્યા છે. ત્યારે આટલી ગંભીર બાબત હોવા છતા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે. અમદાવાદની ઓળખ બની ચૂકેલી બીઆરટીએસ સેવા ફરીથી વિવાદમાં આવી છે. કારણ છે ફરીથી બીઆરટીએસ કોરીડોરમાં અકસ્માતના બનાવોમાં વધારો નોંધાયો છે. જેમાં બે દિવસમાં જ 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્યને ઇજા પહોંચી છે. જેને લઇને બીઆરટીએ બસ મોતની બસ તરીકે ઓખળાવા લાગી છે. બીઆરટીએસ કોરીડોરમાં બેરોકટોક રીતે ઘૂસી જતા વાહનો અને તે બાદ સર્જાતા અકસ્માતના મુદ્દો વધુ ગંભીર બન્યો છે. મહત્વનુ છેકે 2014 થી 31 માર્ચ 2017 સુધી બીઆરટીએસ દ્વારા નાના મોટા 163 અકસ્માત સર્જાયા છે. જેમાં 21 લોકો મોતને ભેટી ચૂક્યા છે. મહત્વનું છેકે બે દિવસમાં મેગાસીટીમાં જુદા જુદા કારણોસર બીઆરટીએસ બસના બે અકસ્માતમાં 3ના મોત થયા હોવા છતા એએમસીના અધિકારીઓ આ મામલે કઇપણ બોલવા તૈયાર નથી. અમદાવાદ જનમાર્ગ લીમીટેડનો કાર્યભાર સંભાળતા ડેપ્યુટી કમિશ્નર તો આ મામલે મીડિયા સામે આવવા પણ તૈયાર નથી.
આગળનો લેખ