Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં નોકરી પરથી ઘરે જતા બાઈક ચાલકનું પતંગની દોરીથી ગળું કપાયું

Webdunia
સોમવાર, 2 જાન્યુઆરી 2023 (12:55 IST)
ઉતરાયણ સમયે અનેક કિસ્સાઓમાં વ્યક્તિ મોતને ભેટતો હોય તેવો જોવા મળ્યો છે. ઘણા કિસ્સાઓમાં બાળકો પતંગ લૂંટવા માટે દોડાદોડી કરતા અથવા તો ધાબા પરથી પડી જતા મોતને ભેટતા હોય છે તો ઘણી વખત માંજાના કારણે વાહન ચાલકોનું ગળું કપાતા મોતને ભેટતા હોય છે. કામરેજ ચાર રસ્તા ઉપર વાહન ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે માંજા ને કારણે ગળું કપાઈ જતા મોત નીપજ્યુ  છે.

સુરત નજીક કામરેજ ચાર રસ્તા પરથી એક શ્રમજીવી પોતાના મોટર સાયકલ ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ એકાએક પતંગનો માંજો આવી જતા વાહન ચાલકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વાહન ચાલક ના ગળા પર થી માંજો ફરી જતા બાઈક પરથી નીચે ફટકાયો હતો. યુવકનો ગળું ભયંકર રીતે કપાયું હતું જેના કારણે તેણે મોત નીપજ્યું છે. પતંગ નો માંજો કેટલો હાનિકારક છે તે આ ઘટના પરથી સમજી શકાય છે.

મકરસંક્રાંતિમાં ઘણી વખત લોકો ખૂબ જ બેદરકારી રીતે પતંગ ઉડાવતા હોય છે. તેના કારણે વાહન ચાલકો ઉપર મુસીબત આવી જતી હોય છે. કામરેજ ચાર રસ્તા પરથી પસાર થતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ નવાગામના રહેવાસી છે. પોતે કામકાજ કરીને ઘરે પરત ફરતા હતા. તે દરમિયાન જ ઘટના બની હતી. પતંગનો મારો જાણે તિક્ષ્ણ હથિયાર હોય તે રીતે ગળા ઉપર ફરી વળી હતી. જાણે કોઈએ ગળા ઉપર ચાકુનો ઘા કરી દીધો હોય એટલી હદે પતંગના માજાએ ગળાના ભાગે વાહન ચાલકને બીજા પહોંચાડી હતી.નવાગામ માં રહેતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ 52 વર્ષીય ઉંમરના હતા. તેઓ લુમ્સ ના કારખાનામાં મજૂરી કામ માટે જતા હતા. નિયમિત રીતે લુમ્સ ના કારખાના માંથી તેઓ સાંજના સમયે પરત આવતા હતા. એકા એક જ કામરેજ ચાર રસ્તા પાસે તેઓ કંઈ સમજે તે પહેલા જ તેમના ગળા ઉપરથી પતંગનો દોરો પસાર થયો હતો. જેને કારણે ગળાની નસો કપાઈ જતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments