Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાયબર ક્રાઇમના કેસ અંગે 10 લાખની લાંચ, સાત લાખ લઈ લીધા, ત્રણ લાખ માટે હેરાનગતિ કરી

Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (12:41 IST)
Cyber ​​Crime Police Officer
અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દ્વારા એક કેસમાં 10 લાખની લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીએ ટુકડે ટુકડે છથી સાત લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીના ત્રણ લાખ રૂપિયાની ચુકવણી વખતે એસીબીનો સંપર્ક ફરિયાદીએ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવી પોલીસ કર્મચારી હરદીપસિંહ પરમારને ઝડપી લીધો છે. પરંતુ ફરિયાદી કોન્સ્ટેબલ અને તેના ઉપરી અધિકારી જાડેજાથી કંટાળીને રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા પહોંચ્યો હતો અને ત્યારે તેણે પોતાની આપવીતી જણાવતો વીડિયો બનાવ્યો હતો.

જે હાલ બહાર આવ્યો છે. અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા પહોંચી અને વીડિયો બનાવ્યો હતો. પોલીસ કર્મચારી અને તેના ઉપરી અધિકારી જાડેજા ફરિયાદીને પૈસા આપવા માટે એટલા બધા હેરાન કરતા હતા કે, ફરિયાદી પોતે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. જે પહેલાં તેણે વીડિયો બનાવ્યો હતો અને પોતે હરદીપસિંહ અને ઉપરી અધિકારી જાડેજાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા જાય છે તેમ તેણે જણાવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક અરજી થઈ હતી, જે બદલ સાયબર ક્રાઇમ દ્વારા એક વ્યક્તિનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ અરજીમાં ફરિયાદ નહીં કરવા તથા ફ્રીઝ કરેલું એકાઉન્ટ ખોલવા માટે સાયબર ક્રાઇમના જ કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમારે 10 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી, જેમાંથી 7 લાખ રૂપિયાની લાંચ ટુકડે-ટુકડે લઈ લીધી હતી જ્યારે બાકીના 3 લાખ રૂપિયાની લાંચ લેવા જતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધો છે.

7 લાખની વસૂલી કર્યા બાદ બાકીના 3 લાખની કોન્સ્ટેબલે માગણી કરતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ટ્રેપ ગોઠવી હતી. લાંચની રકમ લેવા આવનાર હરદીપસિંહને ACBએ કેમ્પ હનુમાન ટેલિફોન એક્સચેન્જ પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. આ અંગે ACBએ ગુનો પણ નોંધ્યો છે. હવે આ અંગે અન્ય અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Winter Update- 15 નવેમ્બર પછી ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના

Diwali 2024- આ વર્ષે અયોધ્યાની દિવાળી ખૂબ જ ખાસ હશે, રામલલાનું મંદિર ખાસ દીવાઓથી ઝળહળશે.

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

આગળનો લેખ
Show comments