Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha Bandhan 2022: રક્ષાબંધન પર પડશે ભદ્રાકાળનો પડછાયો, આ સમયે ભૂલથી પણ ન બાંધશો રાખડી

Webdunia
બુધવાર, 10 ઑગસ્ટ 2022 (13:36 IST)
- આ વખતે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવામાં આવશે. 
- તેને રાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. 
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હંમેશા શુભ સમયને ધ્યાનમાં રાખીને રાખડી બાંધવી જોઈએ.
 
Raksha Bandhan 2022: હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે રક્ષાબંધન (Raksha Bandhan) નો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે  ભાઈ-બહેનના આ તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. તેને રાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે, બહેનો તેમના કપાળ પર ટીકા લગાવીને તેમના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના ભાઈઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિની કામના કરવા માટે આરતી કરે છે અને ભાઈ તેના બદલામાં બહેનને ભેટ આપે છે અને હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપે છે.
 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાખડી હંમેશા શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને બાંધવી જોઈએ. રક્ષાબંધનના દિવસે ભદ્રકાળનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. કહેવાય છે કે ભદ્રકાળના રોકાણ દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી. શાસ્ત્રોમાં આ સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે તમારે ભદ્રકાળના સમયે પણ ભાઈના કાંડા પર રાખડી ન બાંધવી જોઈએ. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રકાળનો સમય ક્યારે શરૂ થશે. એ પણ જાણી લો કે ભદ્રા કાળમાં રાખડી કેમ ન બાંધવી જોઈએ.
 
જાણો રક્ષાબંધનના દિવસે ક્યારે રહેશે ભદ્રકાળનો સાયો ? 
 
પંચાંગ મુજબ ભદ્રા પુંછ  11 ઓગસ્ટના દિવસે ગુરુવારે સાંજે 5:17 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.18 વાગ્યે સમાપ્ત થશે. આ પછી ભદ્રમુખ સાંજે 6.18 થી શરૂ થશે અને રાત્રે 8 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન તમારા ભાઈને રાખડી ન બાંધો. ભદ્રકાળની સમાપ્તિ પછી જ રાખડી બાંધો. જો કે જો ખૂબ જ જરૂરી હોય તો પ્રદોષ કાલ, શુભ, લાભ, અમૃતમાંના કોઈપણ એક ચોઘડિયાના દર્શન કરીને રાખડી બાંધી શકાય છે.
 
જાણો રક્ષાબંધનનુ શુભ મુહૂર્ત 
 
તારીખ 11 ઓગસ્ટ સવારે રાખડી બાંધવાનો સમય સવારે 4.29 થી 5.17 સુધી 
શુભ મુહુર્ત - સવારે 9.28 થી 10.38 સુધી 
તારીખ 11 ઓગસ્ટને રાત્રે 8 વાગ્યા પછી રાખડી બાંધી શકાય છે. 
 
જો તમે 12 ઓગસ્ટને રાખડી બાંધશો તો સવારે 6 વાગ્યેથી રાત્રે 8 વાગ્યે સુધી શુભ મુહુર્ત છે.  
 
ભદ્રાકાળમાં રાખડી કેમ નથી બાંધવામાં આવતી ?
પૌરાણિક કથાઓ અનુસાર, ભદ્રા ભગવાન સૂર્યદેવ અને માતા છાયાની પુત્રી હતી. શનિદેવની બહેન પણ. એવું કહેવાય છે કે જ્યારે ભદ્રાનો જન્મ થયો ત્યારે તેણે આખી સૃષ્ટિમાં તબાહી મચાવી દીધી હતી અને તે બ્રહ્માંડને ગળી જવાની હતી. જ્યાં પણ કોઈ પૂજા, અનુષ્ઠાન, યજ્ઞ અને શુભ કાર્ય હોય ત્યાં ભદ્રા ત્યાં પહોંચી જતી અને તેમાં વિઘ્નો ઉભી કરતી. આ જ કારણથી ભદ્રાને અશુભ માનવામાં આવે છે અને રાખડી કે કોઈ પણ શુભ કાર્ય ભદ્રાકાળના સમયગાળામાં કરવામાં આવતું નથી.
 
આ સિવાય એક અન્ય કથા છે કે ભદ્રકાળમાં જ લંકાપતિ રાવણે પોતાની બહેન પાસેથી કાંડા પર રાખડી બંધાવી હતી. જે બાદ એક વર્ષમાં રાવણનો નાશ થયો હતો. આ જ કારણથી રક્ષાબંધનના દિવસે ભદ્રાના સમયે રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે.
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments