Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલે ખોડલધામ પ્રમુખ નરેશ અને ઉમિયાધામ પ્રમુખ પ્રલ્હાદ પટેલના હસ્તે કર્યા પારણાં

Webdunia
બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (15:28 IST)
હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે તેના પારણાં ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા. હાર્દિકના પારણાં કરાવવા માટે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા. હાર્દિકની ઉપવાસી છાવણીમાં છએ છ સંસ્થાના આગેવાનો આરૂઢ થઈ ગયા હતા. હાર્દિક પટેલના ઉપવાસથી કોઈ અસર સરકાર પર થઈ ન હતી અને સમાજ જે હાર્દિકની પડખે આવ્યો હતો. હાર્દિકના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા હતા. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું હતું, ત્યારે આજે હાર્દિકના પારણાની જાહેરાત કરવામાં આવી હતી. પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને  પારણાની જાહેરાત કરવામાં આવી હતી.  પાટીદાર સમાજનના આગેવાનોના મત છે કે આગળ આંદોલન ચાલુ રાખવા માટે પણ હાર્દિકે સ્વસ્થ રહેવુ જોઈએ. પાસના પ્રવક્તા મનોજ પનારાએ કહ્યુ હતુ કે આ આંદોલનનો અંત નથી પણ હવે પાટીદાર સમાજ પોતાની માંગોને લઈને આંદોલન વધારે જલદ બનાવશે. આખા રાજ્યમાં ઠેર ઠેર યાત્રાઓ કાઢવામાં આવશે તેમજ સરકાર સમજી લેકે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર નીકળશે. કોઈ પણ સંજોગોમાં સરકારને ઝુકાવીને રહીશું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Turmeric To Reduce Uric Acid: હળદરથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા,જાણી લો આ ઘરેલૂ ઉપાય Uric Acid રહેશે કંટ્રોલમાં

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

શું પીરિયડ્સના લોહીમાં દુર્ગંધ આવવી તે સામાન્ય છે

Moral Story - સોનેરી છાણની વાર્તા

Chocolate Day History & Significance - વેલેન્ટાઈન વીકમાં ચોકલેટ કેવી રીતે મીઠી યાદનો ભાગ બની ગઈ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments