Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાશ્મીરની ઘાટીમાં એકવાર ફરી રણકી ઉઠી ફોનની ઘંટીઓ, જમ્મુમાં 2G ઈંટરનેટ પણ શરૂ

Webdunia
શનિવાર, 17 ઑગસ્ટ 2019 (13:07 IST)
જમ્મુ કાશ્મીર.માં આર્ટીકલ 370 હટાવ્યા પછી લગાવેલ રોક પર હવે ધીરે ધીરે ઢીલ આપવામાં આવી રહી છે. ઘાટીમાં શાંતિ વ્યવસ્થા કાયમ રાખવાના હેતુથી ટેલીફોન અને ઈંટરનેટ સેવાઓ રોકવામાં આવી હતી. જો કે છેલ્લા 12 દિવસ પછી કાશ્મીર ઘાટી માં એકવાર ફરીથી ટેલીફોનની ઘંટડીઓ રણકવા માંડી છે. તો બીજી બાજુ જમ્મુના પાંચ જીલ્લામાં 2G ઈંટરનેટ સેવા પણ શરૂ કરવામાં આવી છે. 
 
ઘાટીના 100માંથી 17 ટેલીફોન એક્સચેંજ ચાલુ 
 
એક રિપોર્ટ મુજબ અધિકારીઓએ જણાવ્યુ કે 100થી વધુ ટેલીફોન એક્સચેંજમાંથી 17ને ચાલુ કરવામાં આવ્યા છે. આ એક્સચેંજ મોટેભાગે સિવિલ લાઈસેંસ ક્ષેત્ર, છાવણી ક્ષેત્ર, શ્રીનગર જીલ્લાના હવાઈ મથકો પાસે છે.  મધ્ય કશ્મીરમાં બડગામ, સોનમર્ગ અને મનિગર્મમાં લૈંડલાઈન સેવાઓ ચાલુ કરવામાં આવી છે.  બીજી બાજુ ઉત્તર કાશ્મીરમાં ગુરેજ, તંગમાર્ગ, ઉરી કેરન કરનાહ અને ગંગાઘર વિસ્તારમાં સેવાઓ ચાલુ કરાઈ છે. જ્યારે કે દક્ષિણ કશ્મીરમાં કાજીગુંડ અને પહેલગામ વિસ્તારમાં સેવાઓ ચાલુ કરવામાં આવી છે. 
 
 
આવતા અઠવાડિયાથી ચાલુ થશે શાળા-કોલેજ 
 
આ પહેલા જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમ્ણ્યમે શુક્રવારે ચરણબદ્ધ અને વ્યવસ્થિત રીતે રોકમાં ઢીલ કરવાની જાહેરાત કરી હતી.  જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવે શુક્રવારે મીડિયા સાથે વ આત કરત કહ્યુ કે કાશ્મીરના મોટાભાગના ફોન લાઈનો આ અઠવાડિયાના અંત સુધી મુક્ત કરવામાં આવશે અને વિદ્યાલય ક્ષેત્રના હિસાબથી આવતા અઠવાડિયે શરૂ થશે.  
 
તેમણે કહ્યુ કે 5 ઓગસ્ટના રોજ જ્યારે રોક લગાવી હતી ત્યારથી ન કોઈએ જીવ ગુમાવ્યો છે કે ન તો કોઈ ઘાયલ થયુ છે.  5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જાથી હટાવી દેવાયો હતો અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે ભાગ પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે આગામી થોડા દિવસમાં રોકમાં વ્યવસ્થિત રૂપે ઢીલ આપવામાં આવશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments