Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું અવસાન, વડા પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું

Webdunia
રવિવાર, 11 ઑગસ્ટ 2024 (11:42 IST)
ભારતના પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહ શનિવારે રાત્રે 93 વર્ષની ઉમરે અવસાન પામ્યા.
 
પૂર્વ વિદેશ મંત્રીએ ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં લાંબી બીમારી પછી અંતિમ શ્વાસ લીધો.
 
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, પરિવારની સૂત્રોએ આપેલી જાણકારી મુજબ તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે.
 
નટવરસિંહના અવસાન પર વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો હતો.
 
વડા પ્રધાન મોદીએ ઍક્સ પર લખ્યું, "નટવરસિંહજીના અવસાનથી દુ:ખ થયું. તેમણે કૂટનીતિ અને વિદેશ નીતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે."
 
વડા પ્રધાન મોદીએ કહ્યું, "તેઓ પોતાની બૌદ્ધિકતા અને લેખન માટે ઓળખાતા હતા. આ દુ:ખના સમયમાં હું તેમના પરિવાર અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ."
 
પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહને 1984માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
નટવરસિંહ 2004-05માં યુપીએ સરકારમાં ભારતના વિદેશમંત્રી હતા.
 
નટવરસિંહે પોતાના પુસ્તક "વન લાઇફ ઇઝ નૉટ ઇનફ"માં સોનિયા ગાંધી વડાં પ્રધાન ન બન્યાં તે પાછળ એક કારણ બતાવ્યું હતું જેને કારણે વિવાદ થયો હતો
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments