Webdunia - Bharat's app for daily news and videos

Install App

Accident - નાસિકમાં રિક્ષાને ઘસેટતી કુવામાં જઈ પડી બસ, 21 મુસાફરોના મોત

Webdunia
બુધવાર, 29 જાન્યુઆરી 2020 (10:47 IST)
મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં મંગલવારે રાજ્ય પરિવાહનની એક બસે ઓટોને ટક્કર મારી દીધી. દુર્ઘટનમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યુ છે કે ટક્કર પછી બં&ને ગાડીઓ રોડ કિનારે આવેલા કુવામાં જઈ પડી. ઘટના માલેગાવના દેઓલા માર્ગ પર મેશી ફાટા પર સાંજે લગભગ ચાર વાગ્યે બની. તેમા 18 થી વધુ લોકો ઘાયલ થયા છે. 
એક અધિકારીએ જણાવ્યુ કે સવારીઓથી ખચોખર ભરેલી રાજ્ય પરિવહનની બસે ઓટોને ટક્કર મારી દીધી. દુર્ઘટનામાં મોટાભાગના ઘાયલ બસમાં સવાર લોકો છે.  મરનારાઓમાં બે વાહનોમાં સવાર લોકોનો સમાવેશ છે. દુર્ઘટનમાં બસ ડ્રાઈવરનુ પણ મોત થઈ ગયુ. મૃતકોમાં નવ મહિલાઓ અને સાત વર્ષની એક બાળકીનો પણ સમાવેશ છે. 
 
એવુ કહેવાય રહ્યુ છેકે ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાને ઘસેટતી બસ માર્ગ કિનારે આવેલ કુવામાં પડી ગઈ. નાસિક ગ્રામીણની એસપી આરતી સિંહે જણાવ્યુ કે કુવામાં કમ સે કમ 21 શબને બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંપોની મદદથી કુવામાંથી પાણી કાઢવામાં આવી રહ્યુ છે.  તેનાથી આ જોઈ શકાશે કે શુ અન્ય મુસાફરો હજુ પણ કીચડમાં ફસાયેલા છે ? 
50 મુસાફરો ભરેલી બસ નાસિકથી ધુલે તરફ જઈ રહી હતી. અચાનક બસની સામે એક રિક્ષા આવી જતા ચાલકનું સંતુલન ખોરવાતા સડકની બાજુમાં આવેલા કુવામાં બસ ખાબકી હતી. લોકોનો અવાજ સાંભળી આજુબાજુના રહેવાસીઓ મદદ માટે આવી પહોચ્યાં હતા. લોકોએ દોરડા બાંધી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું.
 
પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. બચાવ ટુકડીએ ઘાયલ લોકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. પરિવહન મંત્રી અને એમએસઆરટીસીના અધ્યક્ષ અનિલ પરબે દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ બતાવી અને મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન કર્યુ. તેમણે કહ્યુ કે ઘાયલોની સારવારનો પુરો ખર્ચ એમએસઆરટીસી ઉઠાવશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments