Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુપ્રીમ કોર્ટે સરદારપુરા રમખાણોના 17 આરોપીને આપ્યા જામીન, કરવી પડશે સામુહિક સેવા

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (18:33 IST)
સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડ બાદ વર્ષ 2002માં સરદારપુરામાં ભડકેલા રમખાણોમાં 17 આરોપીઓને આજે સશર્ત જામીન આપ્યા છે. આ ઘટનામાં 33 મુસ્લિમોને જીવતા સળગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે તેમને મધ્ય પ્રદેશ જતાં અને ત્યાં સામુહિક સેવા કરવાનો આદેશ આપ્યો છે. 
 
મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની પીઠે દોષીઓને બે ગ્રુપમાં વેચી દીધા અને કહ્યું કે એક ગ્રુપ ગુજરાતની બહાર નિકળશે અને બીજું મધ્યપ્રદેશ ઇન્દોરમાં રહેશે. પીઠે કહ્યું કે દોષીઓના બીજા ગ્રુપને મધ્યપ્રદેશના જબલપુર જવું પડશે. 
 
સરદારપુરા રમખાણોમાં ઉંમરકેદની સજા પ્રાપ્ત કરનાર આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે ચૂકાદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીન અરજીની શરતો હેઠળ તમામ દોષીઓને દર અઠવાડિયે છ કલાક સામુહિક સેવા કરવી પડશે. આ ઉપરાંત તેમને દર અઠવાડિયે સ્થાનિક પોલીસ મથકમાં હાજર થવું પડશે.   
 
સુપ્રીમ કોર્ટના ઇન્દોર અને જબલપુરમાં ડીલએસએને આ સુનિશ્વિત કરવાના નિર્દેશ આપ્યા છે કે દોશી જામીનની શરતોનું સખત પાલન કરે. તેને ડીએલએસએને દોષીઓની આજીવિકા માટે યોગ્ય રોજગાર શોધવામાં મદદ કરવાના પણ નિર્દેશ આપ્યા. 
 
સાથે જ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ કાનૂની સેવા ટ્રિબ્યુનલને ત્રણ મહિના બાદ એક રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં બતાવવું પડશે કે દોષીઓને શરતોનું પાલન કર્યું કે નહી. તે પહેલાં ગુજરાત હાઇકોર્ટે ગોધરા કાંડ બાદ થયા સરદારપુર રમખાણોમાં 14ને મુક્ત અને 17ને દોષી ગણવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments