Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણના લંપટ ડોક્ટરના ખુલાસાથી પોલીસ ચોંકી ઉઠી, અત્યાર સુધીમાં આટલી મહિલાઓનો કર્યો ગર્ભપાત

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2019 (10:58 IST)
પાટણમાં ડોક્ટર પિતા-પુત્ર દ્વારા મહિલાઓ સાથે બળાત્કાર કરતા ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારબાદ આ ઘટનાને પગલે પોલીસ દ્વારા બંને આરોપી ડોક્ટર મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિસાન મોદીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ડોક્ટર મહેશ મોદીની પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછ દરમિયાન મહેન્દ્ર મોદીએ 2400થી વધુ મહિલાઓના ગર્ભપાત કરાવ્યા હોવાનો ખુલાસો કર્યો છે.
 
પાટણના સમી વિસ્તારમાં બે દિવસ પહેલા ડોક્ટર પિતા-પુત્રએ તેમના ક્લિનિકમાં મહિલાઓને કેવી રીતે તેમની વાસનાનો ભોગ બનાવે છે તેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનાને પગલે પાટણમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ત્યારે રોષે ભરાયેલા લોકોએ પિતા પુત્રનું મુંડન કરાવી માર માર્યો હતો. તો આ ઘટનાને લઇને પાટણના સ્થાનિકો દ્વારા બંજાર બંધ કરી ડોક્ટર પિતા-પુત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાને પગલે પોલીસે મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિસાન મોદીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
 
પોલીસે ડોક્ટર મહેન્દ્ર મોદીના ક્લિનિક સહિતની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં શસ્ત્રક્રિયાના સાધોનો તેમજ આર્યુવેદિક ડિગ્રી ધરાવતો ડોક્ટર એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાના પુરાવા પણ મળી આવ્યા હતા. પાટણના સમી વિસ્તારમાં મહેન્દ્ર મોદી છેલ્લા 40 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. તે દરમિયાન મહેન્દ્ર મોદીએ 2400 મહિલાઓને ગર્ભપાત કરાવ્યા હોવાનું પોલીસ પૂછપરછમાં કબુલાત કરી છે. ત્યારે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે, મહેન્દ્ર મોદીએ કેટલી મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી તેમજ આ અગાઉ અન્ય આ પ્રકારના કેટલા વીડિયો વાયરલ કર્યા છે તે સહિતની તપાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

આગળનો લેખ
Show comments