Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jamsetji Tata - જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી દેશમાં પ્રથમ વીજળીવાળી ફાઈવ સ્ટાર હોટલ

Webdunia
મંગળવાર, 19 મે 2020 (13:01 IST)
દેશને અલગ ઓળખ આપવા દેશના કેટલાક ઉદ્યોગપતિઓનું મહત્વનું યોગદાન છે, તેમાં ટાટા કંપનીનું પણ મોટું નામ છે. તે ટાટા કંપની છે જેણે મુંબઇમાં ગેટવે ઈન્ડિયાની સામે તાજમહેલ જેવી ભવ્ય હોટલ બનાવી. જમસેટજી ટાટા આ હોટલના સ્વપ્નદાતા હતા, આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે અમે તમને આવા જ કેટલાક દુર્લભ પરાક્રમો વિશે જણાવીશું.
 
મુંબઇની તાજ હોટેલના જમસેદજીને એક કે બે આવા જ સપના હતાં જે તેના પરિવારના સભ્યોએ પુરા કર્યા.  તે દિવસોમાં, ડિસેમ્બર 1903 માં 4 કરોડ 21 લાખ રૂપિયાના વિશાળ ખર્ચ સાથે હોટલ તાજ મહેલ બનાવવામાં આવ્યો હતો, તે દિવસોમાં તે ભારતની એકમાત્ર હોટલ હતી જેમાં વીજળીની વ્યવસ્થા હતી.
 
 
કારોબારના દરેક ક્ષેત્રમાં ટાટા જૂથે પોતાની હાજરી નોંધાવી. એક સમય એવો આવ્યો કે ટાટા ગ્રુપનુ એક સામાન્ય માણસના જીવનમાં દરેક રીતે દખલ થઈ ગયુ.  તે પોતાના સંપૂર્ણ જીવનમાં ખબર નહી કેટલી વસ્તુઓ  ટાટા કંપનીની વાપરવા માંડ્યો.  ભાગ્યે જ કોઈ ક્ષેત્ર હશે જેમાં ટાટા કંપનીની કોઈ રીતે ભૂમિકા ન હોય. ટાટા કંપની દેશમાં મીઠાથી લઈને વ્યવસાયિક વાહનો અને લક્ઝુરિયસ હોટલની ચેન બનાવવા માટે જાણીતી છે.
 
14 વર્ષની ઉંમરે વ્યવસાયમાં મૂક્યો પગ 
 
જમસેદજીનો જન્મ 3 માર્ચ 1839 ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારીમાં પારસી પરિવારમાં થયો હતો. 19 મે 1904 ના રોજ 65 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમનું પૂરું નામ જમસેદજી નસીરવાનજી ટાટા હતું. તેમના પિતાનું નામ નસીરવાનજી અને માતાનું નામ જીવન બાઇ ટાટા હતું. તેમના પિતા તેમના  પરિવારમાં વેપાર કરનારા પહેલા વ્યક્તિ હતા. 
 
માત્ર 14 વર્ષની ઉંમરે જમસેદજી તેમના પિતા સાથે મુંબઇ આવ્યા અને બિઝનેસ શરૂ કર્યો . તે જ વયે તેમણે તેમના પિતાને ટેકો આપવાનું શરૂ કર્યું. તે 17 વર્ષના હતા ત્યારે તેમણે મુંબઈની એલફિંસટન કોલેજમાં પ્રવેશ લીધો અને બે વર્ષ પછી 1858 માં ગ્રીન સ્કોલર (બેચલર ડિગ્રી)ના રૂપમાં પાસ થયા અને પિતાના વ્યવસાયમાં સંપૂર્ણ રીતે જોડાય ગયા. ત્યારબાદ તેમના લગ્ન હીરા બાઇ ડબુ સાથે કરી દેવામાં આવ્યા. 
 
મુંબઈની તાજમહેલ હોટલ તેમની ભેટ 
 
જમશેદજીના જીવનના મુખ્ય લક્ષ્યોમાં સ્ટીલ કંપની ખોલવી, વિશ્વ વિખ્યાત અભ્યાસ કેન્દ્ર સ્થાપવું, એક અનોખી હોટલ ખોલવી અને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સ્થાપવો શામેલ છે. જો કે, તેમના જીવનકાળમાં આમાંથી એક સપનું જ પૂરું થયું, હોટેલ તાજમહલનું સપનું. બાકીના પ્રોજેક્ટ્સ તેમની ભાવિ પેઢી  દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા હતા.
 
ફક્ત 21 હજાર રૂપિયા પ્રતિષ્ઠાનની સ્થાપના 
 
29 વર્ષની ઉંમરે, તેમણે તેમના પિતાની કંપનીમાં કામ કર્યું, પછી 1868 માં તેમણે ફક્ત 21 હજાર મૂડીનું રોકાણ કરીને વ્યવસાયિક કંપનીની સ્થાપના કરી. 1869 માં તેમણે એક નાદાર તેલ મિલ ખરીદી અને તેને સુતરાઉ મિલમાં રૂપાંતરિત કરી અને તેનું નામ એલેક્ઝાંડર મિલ રાખ્યું.
 
લગભગ બે વર્ષ પછી, જમસેદજીએ મિલને યોગ્ય નફા સાથે વેચી નાખી અને તે જ પૈસાથી તેમણે 1874 માં નાગપુરમાં એક સુતરાઉ મિલની સ્થાપના કરી. બાદમાં જ્યારે મહારાણી વિક્ટોરિયાને ભારતની રાણીનો ખિતાબ આપવામાં આવ્યો ત્યારે તેમણે મિલનું નામ ઇમ્પ્રેસ મિલ કરી નાખ્યુ. 2015-16માં કંપનીની આવક 103.51 અબજ હતી. આ કંપની દેશના જીડીપીમાં ઘણો ફાળો આપે છે.
 
દેશના ઔદ્યોગિક વિકાસમાં ફાળો
 
દેશના ઔદ્યોગિક વિકાસમાં જમસેદજીનો અસાધારણ ફાળો છે. તેમણે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો પાયો તે સમયે નાખ્યો જ્યારે દેશ ગુલામીની સાંકળોમાં ફસાયો હતો અને બ્રિટિશરો ઉદ્યોગો સ્થાપવામાં કુશળ માનવામાં આવતા હતા. તેમણે ભારતના ઔદ્યોગિકરણ માટે સ્ટીલ કારખાનાઓ સ્થાપવાની મહત્વપૂર્ણ યોજનાઓ કરી. તેમની અન્ય મોટી યોજનાઓમાં પશ્ચિમ ઘાટના તીવ્ર પ્રવાહી (જેનો પાયો 8 ફેબ્રુઆરી 1911 ના રોજ નાખ્યો હતો) માંથી વીજળી ઉત્પન્ન કરવાની યોજના શામેલ છે.
 
મોટા ઉદ્યોગપતિ જ નહીં પરંતુ મહાન રાષ્ટ્રવાદી અને પરોપકારી પણ
 
જમશેદજી મોટા ઉદ્યોગપતિની સાથે એક મોટા રાષ્ટ્રવાદી અને પરોપકારી પણ હતા. આજે પરોપકારી અથવા ફિલોથ્રોપીની વ્યવસાય જગતમાં ગૂંજ હોય, પરંતુ જમશેદજીના પુત્ર દોરબ ટાટાએ 1907 માં દેશની પહેલી સ્ટીલ કંપની, ટાટા સ્ટીલ અને આયર્ન કંપની, ટિસ્કો ખોલી હતી, તો આ કર્મચારીઓને પેન્શન, રહેઠાણ, તબીબી સુવિધાઓ અને ઘણી અન્ય સુવિધાઓ આપનારી કદાચ એકમાત્ર કંપની હતી
 
18 ઇમારતો વિજ્ઞાન માટે દાનમાં આપી હતી
 
 કલ્યાણકારી કાર્યો અને દેશને એક મોટી શક્તિ બનાવવાની દ્રષ્ટિમાં તેઓ ખૂબ આગળ હતા. બેંગ્લોરમાં ઈંડિય્ન ઈસ્ટીટ્યુટ ઓફ સાયંસની સ્થાપના માટે તેમણે પોતાની અડધાથી વધુ સંપત્તિ જેમા 14 બિલ્ડિગો અને મુંબઈની ચાર સહિત સંપત્તિ દાનમાં આપી હતી.
 
વેપાર માટે વિદેશ યાત્રા
 
વેપારના સંબંધમાં, જમસેટદજી ઇંગ્લેન્ડ, અમેરિકા, યુરોપ અને અન્ય દેશોમાં ગયા. જેના દ્વારા તેમને વ્યવસાય કરવા માટે તમામ પ્રકારના આઈડિયા મળ્યા.  આનાથી તેમના વ્યવસાયને લગતુ જ્ઞાન પણ વધ્યું. આ મુલાકાતો પછી, એક વાત એ પણ બહાર આવી કે તેમણે વિચાર્યુ કે બ્રિટીશ અધિપત્યવાળા કાપડ ઉદ્યોગમાં ભારતીય કંપનીઓ પણ  સફળ થઈ શકે છે.
 
સામ્રાજ્ય ઉભું કર્યું
 
જમસેદજી ટાટા ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા જૂથના સંસ્થાપક હતા, ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રમાં જમસેદજી એ જે યોગદાન આપ્યુ તે અસાધારણ અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે ફક્ત બ્રિટીશ લોકો જ ઉદ્યોગ સ્થાપવા માટે કુશળ માનવામાં આવતા હતા, ત્યારે જમસેદજી ભારતમાં વિકાસનો માર્ગ મોકળો કર્યો. ટાટા સામ્રાજ્યના સ્થાપક જમસેદજી દ્વારા કરવામાં આવેલ કાર્ય આજે પણ લોકોને પ્રોત્સાહિત કરે છે. તેમની અંદર ભવિષ્ય દેખવાની અદ્દભૂત ક્ષમતા હતી. જેના બળ પર તેમણે એક ઔદ્યોગિક ભારતનુ સપનુ જોયુ હતુ.  ઉદ્યોગો સાથે તેમણે વિજ્ઞાન અને તકનીકી અભ્યાસ માટે સારી સુવિદ્યાઓ પુરી પાડી. 
 
સૌથી મોટા વ્યવસાયિક વાહનોના નિર્માતા
 
ટાટા મોટર્સ એ ભારતની સૌથી મોટી વ્યવસાયિક વાહનો બનાવતી કંપની છે. તેનું જૂનું નામ ટેલ્કો (ટાટા એન્જિનિયરિંગ એંડ લોકોમોટિવ કંપની લિમિટેડ) છે
હતી. તે ટાટા જૂથની મોટી કંપનીઓમાંની એક છે. જમશેદપુર (ઝારખંડ), પુણે (મહારાષ્ટ્ર) અને લખનૌ  (યુપી) સહિતના ભારતમાં તેના ઉત્પાદન એકમો
અન્ય ઘણા દેશોમાં છે. ટાટા પરિવાર દ્વારા આ કારખાનાની શરૂઆત એન્જિનિયરિંગ અને રેલ એન્જિન માટે કરવામાં આવી. પરંતુ હવે આ કંપની મુખ્યત્વે ભારે અને હલકા  વાહનોનું ઉત્પાદન કરે છે. તેણે યુકેની જાણીતી બ્રાન્ડ્સ જગુઆર અને લેન્ડ રોવર પણ ખરીદી છે. 
 
જમશેદપુર છે તેમના વિઝનનું ઉદાહરણ 
 
તેમનો ધ્યેય માત્ર કારખાનાઓ ઉભા કરવા અને તેમની પાસેથી કમાણી કરવાનો ન હતો, પરંતુ  તેઓ એક એવું શહેર સ્થાપિત કરવા ઇચ્છતા હતા કે જે એક ઉદાહરણ બને. તેમનુ વિઝન ક્લિયર હતુ. જો તમારે જમશેદજીનું વિઝન જોવું હોય તો એકવાર ઝારખંડમાં જમશેદપુર જરૂર જોવું જોઈએ. આ ટાટાનગર તરીકે ઓળખાય છે શહેરને જે રીતે નિયોજીત કરીને વસાવાયુ અને કર્મચારીઓના કલ્યા અને સુવિધાઓની કાળજી અહીં લેવામાં આવે છે. આ  એ સમયમાં કલ્પના બહારની વાત હતી. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments