Dharma Sangrah

હોળીની મસ્તી નહી રહી જાય અધૂરી તો આ ટિપ્સ જરૂર અજમાવો

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2019 (15:47 IST)
હોળી દરમિયાન સ્વાસ્થ્યની દેખરેખ બહુ આવશ્યક છે પણ આ સાથે જરૂરી છે રંગોના ઉપયોગમાં સાવધાની. શું તમે જાણો છો કૃત્રિમ રંગ તમારી હોળીની મજાને સજામાં ફેરવી શકે છે? આવામાં તમારે રંગો પ્રત્યે ખાસ સાવધાની દાખવવી જોઇએ. પણ પ્રશ્ન એ ઉઠે છે કે એવા કયા ઉપાયો અપનાવવામાં આવે જેથી કૃત્રિમ રંગ તમારી હોળી બગાડી ન શકે. નીચેની વિગતો વાંચશો એટલે આપોઆપ સમજી જશો કે હોળી રમતી વખતે કેવી રીતે સાવચેતી દાખવી રંગોથી થતા નુકસાનથી બચી શકાય...
 
- હોળી વગર રંગે તો સાવ ફિક્કી લાગે પણ એ વાત નકારી ન શકાય કે હોળીના રંગોમાં રહેલા કેમિકલ્સ આપણી ત્વચા અને વાળ માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
 
- વાસ્તવમાં રંગો બનાવવામાં લેડ ઓક્સાઇડ, કોપર સલ્ફેટ અને માઇકા જેવા હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતી સિન્થેટિક ડાઇમાંથી બનેલા હોળીના રંગો ત્વચા અને વાળ માટે સહેજપણસારા નથી હોતા.
- જે લોકોની ત્વચા બહુ સંવેદનશીલ હોય છે તેમને આ રંગોથી અનેક સમસ્યાઓ થઇ શકે છે. આ સમસ્યાઓમાં ખીલ, એલર્જી, એક્ઝિમા વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, કેટલાકની ત્વચા પર રેશિશ પડી જાય છે તો કેટલાકના ચહેરા પર દાણા નીકળવા લાગે છે.

 
- કેટલાક લોકોની ત્વચા એટલી સંવેદનશીલ હોય છે કે તેમને હોળી બાદ ત્વચાનું કેન્સર પણ થઇ જાય છે.
 
- શું તમે જાણો છો કે હોળીના રંગોથી થતી ત્વચાને લગતી સમસ્યાઓ ઘણીવાર હોળીના રંગોને કાઢતા-કાઢતા જ સર્જાઇ જાય છે! જોકે તમે હોળીમાં લાગેલા રંગો કઇ રીતે દૂર કરો છો તેના પર આ નિર્ભર કરે છે અને ત્વચાની દેખરેખ કઇ રીતે કરો છો.
- કેટલાક લોકો હોળીના રંગોને ઘસી-ઘસીને સાફ કરે છે જેનાથી તેમની ત્વચા સંબંધી સમસ્યાઓ વધી જાય છે.
 
- હોળીના કૃત્રિમ રંગોથી તમારા નખ પણ નબળા થઇ શકે છે. એટલું જ નહીં નબળા નખ જલ્દી વધી શકતા નથા કે પછી થોડા વધીને વચ્ચે જ તૂટી જાય છે. ઘણીવાર નખ પર ચઢેલો રંગ મહિના સુધી નથી નીકળતો. તો ઘણીવાર નખની કિનારી પર અને અંદરની ત્વચા પર રંગ ચઢી જાય છે જેનાથી તમારા નખ અને હાથ બહુ ભદ્દા દેખાય છે.

- હોળીના કૃત્રિમ રંગોથી તમારા વાળને પણ ઘણું નુકસાન પહોંચે છે. આનાથી વાળ નબળા થઇ જાય છે અને તૂટવા લાગે છે. કેટલાકને તો આ કૃત્રિમ રંગો ભરાઇ જવાને કારણે ખોડો થઇ જાય છે. વાળના મૂળમાં ખણ આવવી, એલર્જી થવી કે પછી મૂળમાં દાણા નીકળવા જેવી સમસ્યા પણ હોળીમાં દાખવવામાં આવતી બેદરકારીનું પરિણામ બની શકે છે.
 
- હોળીના કૃત્રિમ રંગોથી આંખોને નુકસાન થઇ શકે છે. કેમિકલયુક્ત રંગોને જો આંખોથી દૂર રાખવામાં ન આવ્યા તો આંખમાં સોજો આવે છે અને એલર્જી થઇ શકે છે. ઘણીવાર તો આંખોમાં વધારે પડતો રંગ જતો રહેવાથી અંધાપાનું જોખમ પણ વધી જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments