Hanuman Sahasranamam Stotram patha: હનુમાન જયંતી કે મંગળવારના દિવસે હનુમાનજીના 1000 નામોનો જાપ કરવાથી જે ફળ આપણને સુંદરકાંડ વાંચવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ હનુમાનજીના સહસ્ત્રનામ પાઠ કરવાથી મળે છે. તેને શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્તોત્રમ પણ કહે છે. આ હનુમત્સહસ્ત્રનામનુ વર્ણન બૃહજ્જ્યોતિષાર્ણવમાં કરવામાં આવ્યો છે. મહર્ષિ વાલ્મીકિજી મુજબ સૌ પ્રથમ શ્રી રામચંદ્રજીએ હનુમાન સહસ્ત્રનામથી હનુમાનજીની સ્તુતિ કરી હતી.
hanuman sahastranaam
હનુમાન સહસ્ત્રનામ પાઠના 10 લાભ - 1 બધા દુષ નષ્ટ થઈ જાય છે.
2. બધા સંકટ ટળી જાય છે.
3.રિદ્ધિ-સિદ્ધિ લાંબા સમય સુધી સ્થિર રહે છે
4. બુદ્ધિ અને બળ પ્રાપ્ત થાય છે.
5. બધા પ્રકારના ભયનો નાશ થાય છે
6. કોઈપણ પ્રકારનો રોગ થતો નથી.
7. કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે.
8. સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
9. સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને
10. સાથકને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શ્રી હનુમાન સહસ્ત્રનામની વિધિ - શુભ બ્રહ્મ મુહુર્તમાં સ્નાન કરી હનુમાનજીની મૂર્તિ કે તસ્વીર સામે પૂર્વ દિશામાં મોઢુ કરીને અસન પાથરીને બેસી જાવ. હનુમાનજીના સામે તેલનો દિવો પ્રગટાવો અને ધૂપ દીપ કરો. ત્યારબાદ જમણા હાથમાં જળ લઈને વિનિયોગ ૐ અસ્ય શ્રી હનુમત્સહસ્ત્રનામ...થી શરૂ કરી જપે વિનિયોગો સુધી વાંચીને જમીન પર પાણી છોડી દો. વિનિયોગમાં મમ સર્વોપદ્રવ શાન્ત્યર્થ ની સ્થાને બોલવો જોઈએ. જેવુ કે પેટની પીડ માટે મમ ઉદર પીડા શાન્ત્યર્થ. ત્યારબાદ ન્યાસ અને ધ્યાન કરીને પાઠની શરૂઆત કરો.
શ્રી હનુમાન સહસ્ત્રનામ | Shree Hanuman Sahasranamam