Webdunia - Bharat's app for daily news and videos

Install App

ન્યૂઝીલૅન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2019 (14:12 IST)
ન્યૂઝીલૅન્ડમાં જ્વાળામુખી ફાટવાને પગલે શરૂઆતમાં 100થી વધારે લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, હવે પોલીસનું કહેવું છે કે આશરે 50 લોકો ફસાયેલા છે.
 
આ ઘટના વ્હાઇટ આઇલેન્ડમાં બની છે. જે સમયે જ્વાળામુખી ફાટ્યો એ સમયે ટાપુ પર અનેક પર્યટકો હતા.
 
 
ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન અર્દેને કહ્યું છે કે આ ઘટનામાં કેટલા લોકો ફસાયેલા છે તેની કોઈ ચોક્કસ જાણકારી હજી મળી નથી.
 
સ્થાનિક મેયરના કહેવા મુજબ આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.
 
ઉલ્લેખનીય છે કે વ્હાઇટ આઇલેન્ડ ન્યૂઝીલૅન્ડના ઉત્તરમાં આવેલો છે અને ત્યાં દેશના સૌથી વધારે સક્રિય જવાળામુખીઓ આવેલા છે.
 
પોલીસે કહ્યું કે જ્વાળામુખી ફાટ્યો એ સમયે 100 પ્રવાસીઓ હોવાની શંકા હતી જોકે હવે અમે માનીએ છીએ કે ત્યાં 50 લોકો ફસાયા છે. જોકે, ટાપુ પર ફસાયેલા લોકોનો ચોક્કસ આંકડો હજી પણ કહી શકાય તેમ નથી.
 
આ ઘટનામાં જે લોકોને ટાપુ પરથી બહાર લઈ આવવામાં આવ્યા છે તે પૈકી એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments