Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Webdunia
શનિવાર, 29 જૂન 2024 (00:17 IST)
આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે. વૃદ્ધોની વાત તો છોડો, યુવાનો હાઈપરટેન્શનની સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકો ખૂબ જ નાની ઉંમરમાં હાઈ બીપીનો શિકાર બની રહ્યા છે.તેનું કારણ આહાર અને જીવનશૈલી હોવાનું માનવામાં આવે છે. કેટલીકવાર આનુવંશિક કારણો, તણાવ અને ઉંઘ ન આવવાથી પણ બીપીની સમસ્યા થઈ શકે છે. જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય છે, ત્યારે શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. ઘણી વખત આપણું શરીર સવારે હાઈ બીપીના સંકેત આપે છે. તમારે આની અવગણના ન કરવી જોઈએ. જાણો સવારે જ્યારે બીપી વધારે હોય ત્યારે શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે?
 
જ્યારે બ્લડ પ્રેશર વધે છે ત્યારે સવારે દેખાય છે આ લક્ષણો 
ચક્કર આવવા- જો તમને સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવવા લાગે તો તે હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે. ઘણી વખત, તમે પથારીમાંથી ઉઠતાની સાથે જ તમારું માથું ફરવા લાગે છે અને તમને ચક્કર આવે છે. તો એકવાર તમારું બીપી ચેક કરો. તમારે આનું કારણ જાણવું જોઈએ. જો બીપી વધી ગયું હોય તો ડોક્ટરની સલાહ લો 
 
તરસ લાગવી - રાતભર પાણી ન પીવાથી તમને સવારે તરસ લાગી શકે છે, પરંતુ જો તમને સવારે ઉઠતાની સાથે જ ખૂબ તરસ લાગે છે અને મોં સુકાઈ જાય છે, તો આ હાઈ બીપીના લક્ષણો હોઈ શકે છે. જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર વધે છે ત્યારે આવું થઈ શકે છે. આને સામાન્ય બાબત ગણીને અવગણના ન કરવી જોઈએ.
 
આછું દેખાવવું -  જે લોકોને સવારે ઉઠ્યા પછી થોડા સમય માટે દ્રષ્ટિ ધૂંધળી રહેતી હોય તેઓએ તેમનું બીપી ચેક કરાવવું જોઈએ. આ હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે. હાઈ બીપીને કારણે આંખો પર તાણ આવે છે. તેનાથી આંખોની રોશની ઓછી થઈ શકે છે અને આંખો નબળી પડી શકે છે.
 
ઉલ્ટી જેવું થવું  - જો તમને જાગતાની સાથે જ ઉલટી અથવા ઉબકા જેવું લાગે તો આ હાઈ બીપીના લક્ષણો હોઈ શકે છે. જ્યારે શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, ત્યારે ગભરાટ થાય છે અને બેચેનીની લાગણી શરૂ થાય છે. જેના કારણે ઉલ્ટીની લાગણી થાય છે. આ હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો હોઈ શકે છે.
 
ખૂબ થાક લાગવો  - જો તમને આખી રાત ઊંઘ્યા પછી પણ સવારે થાક અને નબળાઈનો અનુભવ થતો હોય તો એકવાર તમારું બીપી ચોક્કસથી ચેક કરો. ઘણી વખત હાઈ બ્લડ પ્રેશરને કારણે પણ આવું થાય છે. આવા લોકોને સવારે ઉર્જા ખૂબ જ ઓછી લાગે છે. જો તમને આવા કોઈ લક્ષણો લાગે, તો તરત જ તમારું બ્લડ પ્રેશર તપાસો અને ડૉક્ટરની સલાહ લો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કાળા બીજને સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

ધર્મ

સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને દેખાય તે કઈ વાતનો સંકેત છે? કનૈયાને જુદી જુદી પરિસ્થિતિઓમાં જોવાનો અર્થ જાણો

Sanatan - ભોજનના સમયે પહેલુ ગ્રાસ કોના માટે કાઢવુ જોઈએ જાણો શું કહે છે શાસ્ત્ર

Dashama Vrat 2024 Date- દશામા વ્રત ક્યારે છે

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments