Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક ચમચી અજમો શરીરમાં વધેલા યુરિક એસિડને કરશે કંટ્રોલ, જાણો ક્યારે અને કેવી રીતે કરવો ઉપયોગ

Webdunia
સોમવાર, 21 ઑક્ટોબર 2024 (10:40 IST)
ajwain
અજમો દરેકના કિચનમાં સરળતાથી મળી જાય છે. તે રસોઈનો સ્વાદ અને સુગંધ તો વધારે છે પરંતુ સાથે જ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે અજમાનો સ્વાદ તીખો અને કડવો હોય છે, પરંતુ તેનું સેવન કરવાથી તમે ખુદને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી શકો છો. આજકાલ, વૃદ્ધ હોય કે યુવાન દરેક લોકો મોટેભાગે જે  રોગથી પીડાય છે તે છે યુરિક એસિડ. તમે અજમાથી પણ આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે વધેલા યુરિક એસિડને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ચાલો જાણીએ કે અજમાની મદદથી યુરિક એસિડને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે-
 
અજમો  યુરિક એસિડમાં ફાયદાકારક છે:
પ્રોટીન, ચરબી, ફાઇબર અને કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને નિકોટિનિક એસિડ જેવા ખનિજો ઉપરાંત, અજમામાં વિપુલ પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફલેમેટરી ગુણ છે.જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અજમામાં લ્યુટીઓલિન, 3-એન-બ્યુટિલ્ફથાલાઇડ અને બીટા-સેલેનાઇન નામના નોંધપાત્ર સંયોજનો લોહીમાં યુરિક એસિડના સ્તરને ઘટાડે છે અને બળતરા નાઈટ્રિક ઑકસાઈડનું ઉત્પાદન કરે છે જે સંધિવાના હુમલાને ઉત્તેજિત કરે છે.
 
યુરિક એસિડના દર્દીઓએ આ રીતે અજમાનો ઉપયોગ કરવો  
યુરિક એસિડથી પીડિત લોકોએ દરરોજ ખાલી પેટે એક ગ્લાસ અજમાનું પાણી પીવું જોઈએ. સૂતા પહેલા એક ગ્લાસમાં એક ચમચી અજમો  નાખીને આખી રાત પલાળી મુકો. આ પાણીને ગાળીને સવારે પી લો. આ ઉપરાંત  જો તમે ઈચ્છો તો આદુને અજમામાં મિક્ષ કરીને પણ ખાઈ શકો છો. આ બંને ઉપાયો અસરકારક છે.
 
અજમો  ખાવાના બીજા ફાયદા 
 
- જો તમે એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો અજમો  તમને ફાયદો કરશે. તેમાં એન્ટિસ્પેસ્મોડિક અને કાર્મિનેટીવ ગુણધર્મો છે જે બંને સમસ્યાઓમાંથી રાહત આપવા માટે કામ કરશે.  
 
- જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો તો તેમાં પણ અજમો અસરકારક છે. તેમાં એન્ટિ-ઇન્ફલેમેટરી તત્વો હોય છે જે સંધિવા સંબંધિત સમસ્યાઓથી પણ રાહત અપાવવામાં મદદ કરે છે.  
 
- અજમામાં એન્ટી-બેક્ટેરિયલ તત્વો રહેલા છે. આ એન્ટી બેક્ટેરિયા તત્વ શરીરને શરદી અને ઉધરસ જેવા વાયરલ સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali 2024- દિવાળીની ખરીદી દરમિયાન ખરીદો આ 5 વસ્તુઓ, ચાલો જાણીએ

દિવાળી 2024- દિવાળી પૂજા મુહૂર્ત

Diwali 2024 - બેસતું વર્ષ કેવી રીતે ઉજવાય છે, જાણો વિસરાતી પરંપરા

Diwali 2024 Guru Pushya Nakshatra : દિવાળી પહેલા બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ, ખરીદો ઘરેણાં, પ્રોપર્ટી, વાહન જાણો શુભ મુહુર્ત

Diwali 2024- 2 કે 3 નવેમ્બર ભાઈ બીજ ક્યારે છે, તમારી મૂંઝવણ દૂર કરો

આગળનો લેખ
Show comments