Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - હળદર અને મધને મિક્સ કરીને ખાશો તો મોટી મોટી બીમારીઓથી છુટકારો મળશે

Webdunia
રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (16:44 IST)
આપણામાંથી એવા ખૂબ જ ઓછા લોકો છે જેમને એ ખબર નથી કે હળદરમાં જો શુદ્ધ મધ મિક્સ કરીને ખાવામાં આવે તો આ કમાલની અસર બતાવી શકે છે. આ મિશ્રણ કઈ કંઈ બીમારીઓથી મુક્તિ અપાવે છે આવો જાણીએ.. 
 
ભારતમાં દરેક ઘરમાં હળદર એક જરૂરી મસાલાના રૂપમાં જોવામાં આવે છે. તેને ફક્ત ખાવામાં સ્વાદ અને રંગ માટે જ પ્રયોગ કરવામાં આવતો નથી પણ શરીરની તમામ બીમારીઓને દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
પણ આપણામાંથી એવા ઘણા ખૂબ ઓછા લોકો છે જેમને એ ખબર નથી કે હળદરમાં જો શુદ્ધ મધ મિક્સ કરીને ખાવામાં આવે તો આ કમાલની અસર બતાવી શકે છે. આ મિશ્રણ કંઈ કંઈ બીમારીઓથી મુક્તિ અપાવે છે.. આવો જાણીએ તેના વિશે.. 

ઘરેલુ ઉપાયો - મધ છે અમૃત સમાન પણ આ રીતે ઉપયોગ ઝેર સમાન છે

ગોલ્ડન હની - જાણો ગોલ્ડન હની કેવી રીતે બનાવાય છે. 
 
100 ગ્રામ કચ્છી કે શુદ્ધ મધ 
1 નાની ચમચી હળદર 
 
બનાવવાની રીત - શુદ્ધ મધ સાથે 1 નાની ચમચી હળદર મિક્સ કરીને તેને એક ગ્લાસમાં નાખો. 
 
કેવી રીતે કરશો પ્રયોગ 
 
પ્રથમ દિવસ - ½ ચમચી દરેક એક કલાકમાં લો. 
બીજો દિવસ - ½ ચમચી દરેક બે કલાકમાં લો. 
ત્રીજો દિવસ - ½ ચમચી દર ત્રણ કલાકમાં લો. 
 
આ મિશ્રણને મોઢામાં ત્યા સુધી મુકો જ્યા સુધી આ મોઢામાં સંપૂર્ણ રીતે ઓગળી ન જાય. આ દવાથી શરીરની શરદી ત્રણ દિવસમાં જ ગાયબ થવા માંડે છે.  અનેક લોકોને દવા ખાધા વગર માત્ર આ મિશ્રણથી જ ખુદને ઠીક કરી લીધા. 
 
શ્વાસની બીમારીને કરો દૂર 
 
આ મિશ્રણને અડધી ચમચી એક અઠવાડિયા સુધી દિવસમાં 3 વાર લો. તમે ચાહો તો આ મિશ્રણમાં નારિયળનું દૂધ કે પછી ચા ને મિક્સ કરી શકો છો. 
 
લો બ્લડ પ્રેશરમાં રામબાણ 
 
જો તમને હીમાફીલિયા કે હાઈ બ ઈપી કે લો બીપી છે તો આ મિશ્રણને તમારે માટે રામબાણ સાબિત થઈ શકે છે. હળદર તમને બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. પ અણ તેને વધુ લેતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક જરૂર કરો. 
 
કેટલીક જરૂરી ટિપ્સ - 
 
જમતા પહેલા - જો હળદર જમતા પહેલા લો તો ગળા અને ફેફડાને ફાયદો થાય છે. 
જમતી વખતે - જમતી વખતે હળદરનું સેવન કરવાથી પેટ હંમેશા ઠીક રહે છે. 
જમ્યા પછી - કોલોન અને કિડનીઓને ફાયદો થાય છે. 
 
આટલુ જરૂર જાણો 
 
જો તમારી કોઈ ટ્રીટમેંટ ચાલી રહી હોય કે પછી કોઈ દવાઓનુ સેવન કરી રહ્યા છો તો તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમે ગૉલબ્લૈડરની બીમારીથી ગ્ર્રસ્ત છો તો હળદર ન ખાશો. તેનાથી તમને નુકશાન થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments