Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે પણ ફિટનેસનાં ચક્કરમાં ઘી-તેલ ખાવું બંધ કરી દીધું છે તો જાણી લો તેના નુકશાન

Webdunia
રવિવાર, 17 માર્ચ 2024 (01:08 IST)
oil ghee
 
ફિટનેસના ચક્કરમાં  લોકો પહેલા પોતાના ડાયેટમાંથી  ઘી અને તેલનું પ્રમાણ ઘટાડે છે. ઘી કે તેલનું વધુ પડતું સેવન કરવાથી શરીરને અનેક નુકસાન થાય છે, પરંતુ એ પણ સત્ય છે કે તેને ન ખાવાના નુકશાન પણ છે.  આનું નાં  તો  વધારે પડતું સેવન સારું છે અને ન તો બહુ ઓછું. શરીરને સ્વસ્થ રાખવા માટે તમામ પોષક તત્વોનું સંતુલન જરૂરી છે. એ જ રીતે ફિટ રહેવા માટે ઘી અને તેલ પણ જરૂરી છે. હા, પણ તમારે  ક્વોન્ટીટી અને ક્વોલિટી ધ્યાનમાં રાખીને જ ઘી તેલ  વાપરવું જોઈએ અને  આવો જાણીએ ડાયેટમાંથી ઘી તેલ કાઢી નાખવાથી શું થશે નુકશાન. 
 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લાંબા સમય સુધી ઘી અને તેલને આહારમાંથી હટાવવું સ્વાસ્થ્ય માટે ઠીક નથી. ઘણા બધા એવા માઈક્રોન્યૂટ્રીશંસ  (Miçronutrients) હોય છે જે ચરબીમાં દ્રાવ્ય હોય છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે તે જરૂરી છે. તેથી, મર્યાદિત માત્રામાં ઘી તેલનું સેવન કરવું જરૂરી છે.
 
દરરોજ કેટલું ઘી ખાવું જોઈએ?
આયુર્વેદ મુજબ તમારે દરરોજ મર્યાદિત માત્રામાં ઘીનું સેવન કરવું જોઈએ. સ્વામી રામદેવ  દરરોજ ઓછામાં ઓછા 2 ચમચી દેશી ઘી ખાવાની ભલામણ કરે છે. તેનાથી હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે. ઘૂંટણમાં ચીકાશ  બની રહે છે અને દુખાવાની સમસ્યા ઓછી થાય છે. જ્યારે તમારે વનસ્પતિ તેલ બદલી બદલીને ખાવું જોઈએ.
 
રોજ કેટલું તેલ ખાવું જોઈએ?
વધુ પડતું તેલ શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ તેલમાં જોવા મળતા ફેટી એસિડ્સ પણ શરીર માટે જરૂરી છે. WHO અનુસાર, પુખ્ત વ્યક્તિએ દિવસમાં 4 ચમચીથી વધુ તેલનું સેવન ન કરવું જોઈએ. આમાં ઘી અને તેલની તમામ માત્રા સામેલ છે. એટલે કે, કોઈપણ પ્રકારનું તેલ 4 ચમચીથી વધુ ન ખાવું.
 
ઘી તેલ બંધ કરવાથી શું નુકસાન થાય છે?
જો તમે ઘી તેલ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો છો, તો તે લાંબા ગાળે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમે દિવસભર થાક અનુભવી શકો છો. શરીરમાં આવશ્યક ચરબીનું પ્રમાણ ઘટવા લાગશે. ફેડ ફ્રી ડાયટ તમારું  વજન તો ઘટાડશે  પરંતુ તેનાથી શરીર પર ઘણો સ્ટ્રેસ પણ આવે છે. જેની લાંબા ગાળે શરીર પર ખરાબ અસર પડે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments