suvichar

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

Webdunia
ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (00:51 IST)
Dough Kneading: આંતરડાને હેલ્ધી રાખવા ખૂબ જરૂરી છે. લોટમાં જો તમે કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ગટ હેલ્થ ઠીક રાખવામાં મદદ મળે છે. તમે સાંભળ્યુ હશે કે તમે એવા જ બનશો જેવુ  તમે ખાવ છો.  આપણો ખોરાક આપણા શરીરને પોષણ આપવાની સાથે સાથે આપણા પાચનતંત્રને  પણ  અસર કરે છે. સ્વસ્થ આહાર આપણને ઊર્જાવાન તો બનાવે જ છે સાથે સાથે અનેક રોગોથી પણ બચાવે છે.
 
આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેને તમે તમારી પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને તમારા આંતરડાને સાફ રાખવા માટે તમારી દિનચર્યામાં સામેલ કરી શકો છો. ચાલો જાણીએ.
 
લોટમાં મિક્સ કરી લો 4 વસ્તુઓ
 
ઓટ્સઃ ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તે પાચનને સુધારવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. લોટમાં થોડો ઓટ્સ પાવડર ઉમેરીને રોટલી બનાવો.
 
અજમો : અજમો  પાચન એંજાઈમોને સક્રિય કરે છે અને પેટનો ગેસ ઘટાડવામાં મદદ કરે છે. તેને થોડી માત્રામાં લોટમાં મિક્સ કરીને રોટલી બનાવો.
 
જીરું: જીરું પાચન સુધારવામાં અને ભૂખ વધારવામાં મદદ કરે છે. તેને થોડું વાટીને લોટમાં મિક્સ કરો.
 
દહીં- દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે લોટમાં દહીં મિક્સ કરી શકો છો અથવા રોટલી બનાને તેને દહીં સાથે ખાઈ શકો છો.
 
અન્ય ઉપયોગી ટીપ્સ
- પૂરતા પ્રમાણમાં પાણી પીવોઃ દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે પાચન સુધારવામાં મદદ કરે છે.
- સંતુલિત આહાર લો: તમારા આહારમાં ફાઈબરયુક્ત ફળો, શાકભાજી અને કઠોળનો સમાવેશ કરો.
- તળેલા અને જંક ફૂડને ટાળો: તળેલા અને જંક ફૂડથી દૂર રહો કારણ કે તે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.
-  નિયમિત વ્યાયામ કરો: નિયમિત કસરત પાચન સુધારવામાં મદદ કરે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments