Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્યા પછી તરત તમે પણ જાવ છો પેશાબ કરવા ? તો આ ગંભીર બીમારીના છે સંકેત

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (17:29 IST)
Frequent Urination Causes: પેશાબ (Urine) સાથે જોડાયેલ અનેક બીમારીઓ હોય છે જેનો યોગ્ય સય પર જાણ થઈ જાય તો ગંભીર સ્થિતિથી બચી શકાય છે.  યૂરિન દ્વારા તમારી હેલ્થને લઈને અનેક સંકેતો મળે છે.   વારેઘડીએ પેશાબ આવવી, પેશાબમાં બળતરા થવી, પેશાબ કરતી વખતે પેટના નીચલા ભાગમા  દુખાવો થવો જેવા લક્ષણ દેખાય તો લોકોએ સાવધાન થવાની જરૂર હોય છે. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે જમ્યા પછી તમામ લોકો પેશાબ કરવા જાય છે. બની શકે કે તમારી સાથે પણ આવુ થતુ હોય. સવાલ એ છે કે શુ જમ્યા પછી તરત પેશાબ જવુ નોર્મલ હોય છે કે કોઈ બીમારીનો સંકેત હોય છે. 
 
વિશેષજ્ઞોનુ માનીએ તો આ જરૂરી નથી કે જમ્યા પછી તરત પેશાબ જવુ કોઈ બીમારીના સંકેત હોય. આવુ થવુ નોર્મલ પણ હોય છે. જ્યારે કે કેટલાક મામલામાં આ કિડની, પ્રોસ્ટેટ, ડાયાબિટીજ કે યૂરિનરી ટ્રૈક્ટ ઈફેક્શન નો સંકેત હોઈ શકે છે.  જો તમારા ડાયેટમાં શુગરની માત્રા વધુ હોય તો તમને પેશાબ જવાની જરૂર પડી શકે છે. ગળ્યુ ખાવાથી તમારા શરીરનુ એસિડ લેવલ વધી જાય છે અને યૂરિનનુ પ્રોડક્શન પણ વધુ થાય છે. જો કે આ એવી કંડીશન હોય છે જેમા બેક્ટેરિયા સહેલાઈથી ઉછરી શકે છે અને ઈફેક્શનનુ કારણ બની શકે છે આવામાં ગળ્યુ ખાવાથી બની શકે છે. આવામાં વધુ ગળ્યુ ખાવાથી બચવુ જોઈએ. 
 
 કેવી રીતે કરશો બીમારીની ઓળખ ?
 
હેલ્થ સ્પેશ્યાલિસ્ટ મુજબ વધુ ગળપણવાળો ખોરાક લેવાથી બ્લડ શુગર લેવલ વધે છે.  જેનાથી શરીરમાં બનનારી પેશાબની માત્રા વધી જાય છે.  આવામાં જમ્યા બાદ પેશાબ જવુ નોર્મલ હોઈ શકે છે. જો કે જો તમે કશુ પણ ખાવ પીવો છો અને તમને યૂરિન માટે જવુ પડે છે તો આ કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે. આવામાં તમને તમારુ ચેકઅપ કરાવવાની જરૂર છે. આ ઉપરાંત જો તમે દિવસમાં 7-8 વારથી વધુ પેશાબ કરવા જાવ છો તો આ ડાયાબિટીઝ, પ્રોસ્ટેટ કે યૂરિનરી ટ્રૈક્ટ ઈફેક્શનના લક્ષણ હોઈ શકે છે. 
 
વારે ઘડીએ પેશાબ આવવાનુ મુખ્ય કારણ 
 
- પ્રોસ્ટેટના કદમાં વધારો
- પેલ્વિક ફ્લોર સ્નાયુ નબળા થવા 
-  સ્ટ્રોક અથવા ન્યુરોલોજીકલ રોગ
-  કિડની સંક્રમણ અથવા કિડની સ્ટોન
- વધુ પડતું પાણી પીવું
- ટાઈપ 1 અથવા ટાઈપ 2 ડાયાબિટીસ
- યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શન 
- લિકવિડ ડાયેટનુ સેવન 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

આગળનો લેખ
Show comments