Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ayurvedic Tips : શરદી, ખાંસી અને ગળાની ખરાશ દૂર કરવા માટે અજમાવો આ આયુર્વેદિક ટિપ્સ

Webdunia
શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (00:36 IST)
શિયાળાની ઋતુમાં શરદી અને ખાંસી જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરદી, ખાંસી ગળામાં ખરાશ (cold, cough and sore throat)માત્ર પરેશાન જ નથી કરતી પણ વ્યક્તિને કમજોર અને થાકેલો પણ અનુભવ કરાવે છે.

તાપમાનમાં ઘટાડા સાથે શિયાળામાં શરદી ખાંસી થવાની શકયતા વધી જાય છે. ગરમ કપડા જ પહેરવા પૂરતા નથી. તમારે એ ધ્યાન રાખવાનુ છે કે શરદી અને ખાંસીને રોકવામા તમારી મદદ કરવા માટે તમે તમારા ભોજનમાં યોગ્ય ભોજન સામેલ કરો. તમે તમારા ડાયેટમાં અનેક પ્રકારના મસાલા અને જડી બુટીઓ પણ સામેલ કરી શકો છો. શરદી અને ખાંસીને દૂર કરવા માટે તમે અનેક પ્રકારની આર્યુવૈદિક ટિપ્સ  (Ayurvedic Tips)અજમાવી શકો છો. અજમાવી શકો છો. શરદી અને ખાંસી દરમિયાન આયુર્વેદિક વિશેષજ્ઞ (Ayurveda expert)કંઈ વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપે છે અને કંઈ વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ આવો જાણીએ. 
 
શરદી અને ખાંસી દરમિયાન તમારે કંઈ વસ્તુઓના સેવનથી બચવુ જોઈએ 
 
- કોલ્ડ ડ્રિંક્સ 
 
- દહીં ખાસ કરીને જ્યારે ફળો સાથે ખાવામાં આવે છે.
 
-  આઈસ્ક્રીમ, સ્વીટ ફૂડ, ડીપ ફ્રાય ફૂડ અને હેવી ફૂડ.
 
-  દિવસ દરમિયાન સૂવું અને મોડી રાત સુધી જાગવું
 
- જો તમે શરદી ખાંસી કે ગળામાં ખરાશથી પીડિત છો તો આ આયુર્વેદિક ઉપાય તમારી મદદ કરી શકે છે. 
 
- 7-8 તુલસીના પાન, આદુનો એક નાનો ટુકડો, લસણની થોડી કળીઓ, 1 ચમચી અજવાઈન, 1 ચમચી મેથીના દાણા, હળદર (સૂકા અથવા તાજા) અને 4-5 કાળા મરીના દાણાને 1  લિટર પાણીમાં જયા સુધી અડધુ ન થઈ જાય ત્યા સુધી ઉકાળો, સવારે ઉઠીને સૌથી પહેલા આ પીવો.
 
- નહાવા અને પીવા માટે ઠંડા પાણીનો ઉપયોગ ન કરશો
 
- પાચનને પ્રોત્સાહન આપવા માટે ગરમ પાણી પીવો.
 
- મધ તમારા ગળાને આરામ કરવામાં મદદ કરે છે અને તેને શાંત રાખે છે.
 
- આદુ, હળદર, લીંબુ ચા લો. તેનાથી તમારા ગળાને આરામ મળશે.
 
- સ્ટીમ લો. ઉકાળેલા પાણીમાં થોડી સેલરી, નીલગિરીનું તેલ અથવા હળદર ઉમેરો અને વરાળ લો. શરદી અને ઉધરસ દરમિયાન આ ખૂબ જ અસરકારક ઉપાય છે
 
- ગરમ દૂધમાં હળદર ભેળવી પીવો.
 
- ગળામાં ખરાશ હોય તો મુલેઠી કે કાઢો કે કુણા પાણીમાં હળદર અને સેંધાલૂણ નાખીને કોગળા કરો. 
 
- તુલસીના પાન અથવા મુલેઠીનુ સેવન કરો. 
 
આયુર્વેદિક ઉકાળો
 
ઉકાળો બનાવવા માટે તમારે આદુ, લવિંગ 4-5, વાટેલા કાળા મરી 1 ટીસ્પૂન, તુલસીના તાજા પાન 5-6 , મધ ટીસ્પૂન અને તજની સ્ટીકની જરૂર પડશે. એક વાસણમાં પાણી લો અને તેને ઉકાળો. પાણી ઉકળે પછી તેમાં વાટેલું આદુ, લવિંગ, કાળા મરી અને તજ નાખો. તેમાં તુલસીના પાન ઉમેરો. 20  મિનિટ ઉકળવા દો. આ મિશ્રણમાં મધ ઉમેરો અને તેનુ ગરમા ગરમ સેવન કરો. 
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments