Webdunia - Bharat's app for daily news and videos

Install App

HDFC Bank ની આ પહેલે ગુજરાતના 30 લાખથી વધુ લોકોના જીવનમાં લાવ્યું પરિવર્તન

Webdunia
શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (21:35 IST)
સામાજિક પહેલ માટેના એચડીએફસી બેંકના પ્રમુખ કાર્યક્રમ #Parivartanએ વર્ષ 2020-21માં ગુજરાતના 30.4 લાખથી પણ વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવી દીધું છે. આ કાર્યક્રમ મારફતે બેંક વલસાડ, નવસારી, તાપી, મહિસાગર, નર્મદા, સાબરકાંઠા, ખેડા, ગીર સોમનાથ, આણંદ, ભાવનગર, ગાંધીનગર અને પંચમહાલના 12 જિલ્લાના 116 ગામ સુધી બેંક પહોંચી શકી હતી. 
 
#Parivartanનો ઉદ્દેશ્ય દેશના આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોની વૃદ્ધિ, વિકાસ અને સશક્તિકરણ કરીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે.  એચડીએફસી બેંકે #Parivartan મારફતે ₹634.91 કરોડ રાષ્ટ્રીય સ્તરે ખર્ચ્યા હતા અને આ સાથે જ તે વર્ષ 2020-21માં સીએસઆર પાછળ નાણાં ખર્ચનારી ભારતની સૌથી મોટી સંસ્થા બની ગઈ હતી. આ રકમ ગત વર્ષની સરખામણીએ 18.5% વધારે છે.
 
 એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગના હેડ –ગુજરાત થોમસન જૉસે જણાવ્યું હતું કે, ‘અમે વિવિધ સહભાગીદારીઓ મારફતે સ્થાયી ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કટિબદ્ધ હોઈ અમે સમુદાયોના વિકાસ અને પ્રગતિ કરવા માંગતા કાર્યક્રમોને ઓળખી કાઢીએ છીએ અને તેને સમર્થન પૂરું પાડીએ છીએ. બેંક, સીએસઆર વિભાગ અને સહભાગી એનજીઓ વચ્ચેની ટીમો જે ક્ષેત્રો, સ્થળો અને લોકો સાથે ભેગા મળીને કામ કરવાનું છે, તેમને ઓળખી કાઢવા માટે નિકટતાપૂર્વક કામ કરે છે. 
 
તે અમને સૌથી મહત્ત્વના મુદ્દા પર કામ કરવામાં મદદરૂપ થાય છે. અમારા કાર્યક્રમોની પ્રકૃતિ સાકલ્યવાદી હોવા છતાં કૌશલ્યની તાલીમ અને આજીવિકા વધારવાની વિવિધ પહેલથી રાજ્યમાં સૌથી વધુ લોકો લાભાન્વિત થયાં છે, જેણે રાજ્યમાં 41,980 મહિલા ઉદ્યમીઓને આજીવિકા પૂરી પાડી હતી તથા આર્થિક સાક્ષરતા અને સમાવેશનના 75,610થી વધુ કેમ્પ આયોજિત કર્યા હતાં, જેના પરિણામે 5.3 લાખ લોકો લાભાન્વિત થયાં છે.’
 
એકીકૃત વાર્ષિક રીપોર્ટમાં સ્થિરતાનું તત્ત્વ ગરીબીને ઘટાડવા, ભૂખમરાંને નાબુદ કરવા, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા પૂરાં પાડવા, ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અને સ્થાયી શહેરો અને સમુદાયોનું નિર્માણ કરવા માટે કામ કરવા સમુદાયોને સાંકળીને બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યોને રેખાંકિત કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

આગળનો લેખ
Show comments