Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાપાની પ્રોફેસરનું તારણ - ગુજરાતમાં નાના-મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે પટેલ અને શાહ અટકધારી મોખરે

Webdunia
બુધવાર, 21 માર્ચ 2018 (14:29 IST)
ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-સુક્ષ્મ નાના ઉદ્યોગોનું મથક છે અને હજારોની સંખ્યામાં નાના એકમો દેશ વિદેશના મોટા ઉદ્યોગોની અનેકવિધ પ્રોડકટની જરૂરીયાત સંતોષી રહ્યા છે જયારે આ નાના ઉદ્યોગોમાં ‘શાહ’ અને ‘પટેલ’ અટકધારીઓનો દબદબો છે. આ રસપ્રદ તારણ જાપાનની ડેઈટો બુંકા યુનિવર્સીટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર તકાશી શિનોડાએ અભ્યાસના આધારે જાહેર કર્યું છે.ગુજરાતના સુક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોનું કદ 90,000 કરોડનું હોવાનો અંદાજ છે.જાપાની યુનિવર્સીટીના પ્રોફેસરના અભ્યાસમાં એવુ પણ તારણ દર્શાવવામાં આવ્યુ છે કે પાટીદારો અને વાણીયા સિવાય ઓબીસી એસટી તથા બ્રાહ્મણોએ પણ નાના ઉદ્યોગ ક્ષેત્રે સારો એવો પગપેસારો કર્યો છે.જાપાની પ્રોફેસર શિનોડા દ્વારા 2006 થી 2015 માં ગુજરાત સરકારમાં નોંધાયેલા સુક્ષ્મ, નાના અને મધ્યમ એકમોનાં 3.5 લાખ માલિકોનો ડેટા એકત્રીત કર્યો હતો અને તેનું અવલોકન કર્યું હતુ. જ્ઞાતિ અને ઉદ્યોગ સાહસીકતા વચ્ચેના સંબંધ સહીતના કેટલાંક મુદ્દાઓ પર તેમના દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતના અર્થતંત્રનો અભ્યાસ કરતા શિનોડએ અવલોકન માટે ઉદ્યોગ માલિકોની ચોકકસ અટકને આધાર બનાવ્યો હતો. તેઓએ રીપોર્ટમાં એવુ રસપ્રદ તારણ દર્શાવ્યું હતું કે ગુજરાતમાં 30 ટકા નાના-મધ્યમ એકમો પર પાટીદાર-વાણીયા કોમ-સમાજનું પ્રભુત્વ છે. 90,000 કરોડનુ કદ ધરાવતા આ ક્ષેત્રમાં નાણાંકીય રીતે આ હિસ્સો 16 ટકા થવા જાય છે. આ 9 વર્ષનાં અભ્યાસનાં ગાળા દરમ્યાન બ્રાહ્મણ, ક્ષત્રિય, મુસ્લીમ, આદિવાસી તથા ઓબીસી સમાજનાં ઉદ્યોગ માલીકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે.તેઓએ રીપોર્ટમાં એવુ સ્પષ્ટ કર્યું છે કે પાટીદાર અને વાણીયા (જૈન) સિવાયની કોમ-સમાજોનાં ઉદ્યોગ એકમો મોટાભાગે સુક્ષ્મ ક્ષેત્રમાં છે.જેમાં મોટી મૂડીની આવશ્યકતા હોતી નથી. સુક્ષ્મ-નાના અને મધ્યમ ઉદ્યોગોમાં સરેરાશ રોકાણ રૂા.26 લાખ થવા જાય છે સૌથી વધુ 32.6 લાખ પાટીદારોનું છે.જયારે વાણીયા (જૈન)નું બીજા ક્રમે 31.9 લાખ છે. ઉચ્ચ વર્ગનાં ઉદ્યોગ સાહસીકોનું રોકાણ પણ આટલુ જ થતુ હોય છે. આદિવાસીઓનું સરેરાશ રોકાણ રૂા.2.7 લાખ કરે છે

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments