Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે ઉનાના દલિત કાંડના પિડીતો સાથે છેતરપિંડી કરી - જિજ્ઞેશ મેવાણી

Webdunia
બુધવાર, 21 માર્ચ 2018 (14:27 IST)
ઉના દલિત કાંડના પીડિતો સાથે સરકારે છેતરપિંડી આચરી હોવાનો ગંભીર આરોપ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા સરકાર પર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે આનંદીબેન સરકારે આપેલું વચન રૂપાણી સરકારે પાળ્યુ નથી.  જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું હતું કે સરકાર દ્વારા પીડિતો સાથે છેતરપિડી કરવામાં આવી છે. ઉનાના સમઢિયાળા ગામ ખાતે દલિતો પર થયેલા અત્યાચાર બાદ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા જાત મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. પીડિતોને ઘરનો પ્લોટ, બીપીએલ કાર્ડ, ખેતીની જમીન સરકારી નોકરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે આજ દિન સુધી પૂરી થઈ નથી. આનંદીબેન પછી સત્તા સંભાળનારા અને હાલમાં પણ મુખ્યમંત્રી તરીકે કામકરતા વિજય રૂપાણીએ આનંદીબેને આપેલા વચનોની પૂર્તિ કરી નથી. પૂર્વ સરકારે કરેલી જાહેરાત હાલમાં સરકારના રેકર્ડ પર ન હોવાનું પણ તેમણે કહ્યું હતું. સરકાર તરફથી કોઈ મદદ ન મળતાં આગામી 29મી માર્ચે પીડિત પરિવાર દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.  આશરે દોઢ વર્ષ બાદ દલિત પીડિત પરિવારના સભ્યો મંગળવારે 20 માર્ચે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટને હિન્દૂ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવવા જઈ રહ્યાં હોવાનું આવેદન પત્ર મારફતે જાણ કરી હતી.
 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments