Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકોએ એટલો કિચડ નાંખ્યો જેનાથી કમળની જીત સરળ થઈ - મોદી

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2017 (15:21 IST)
ભુજની લાલન કોલેજમાં ચૂંટણી સભા સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જાત-જાતના લોકો અને ભાત-ભાતના લોકોએ એટલો કીચડ ઉછાળ્યો છેકે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયું છે. જેમણે આવીને કીચડ ઉછાળવાની કપરી મહેનત કરી ખૂણે ખૂણે જઇને કીચડ ઉછાળ્યો, આજની પળે આ કીચડ ઉછાળનારાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કમળ ખીલવામાં આ કીચડ કમળની મોટી તાકાત બની જતો હોય છે અને હું ગુજરાતની રગે રગને જાણું છું.  કોંગ્રેસના મિત્રો ગુજરાત તમને ક્યારેય માફ નથી કરવાનું.

ગુજરાતે ક્યારેય તમને સ્વીકાર્યા નથી. તેનું કારણ સરદાર પટેલના જમાનાથી તમે ગુજરાતને દાઢમાં રાખીને ગુજરાતને પાછળ ધકેલવામાં કોઇ પાછી પાની કરી નથી. આ ગુજરાતના લોકો મહા ગુજરાતનું આંદોલન ચલાવતા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાંથી તમે ગુજરાતની માંગણી કરનારાઓ પર ગોળીઓની રમઝટ ચલાવી હતી. ગુજરાતના યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. માત્ર સરદાર પટેલ નહીં તમે ડગલે ને પગલે ગુજરાત પ્રત્યે વેર વાળવામાં ક્યારેય કચાશ નથી રાખી. આજથી ત્રીસ વર્ષ પહેલા મા નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું હોત તો લોકોને હિજરત કરીને જવું પડ્યું ન હોત.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

આગળનો લેખ
Show comments