Webdunia - Bharat's app for daily news and videos

Install App

આનંદીબેન અંગે હાર્દિક પટેલનું મોટુ નિવેદન જાણો શું કહ્યું

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2017 (12:38 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે સ્વીકાર્યું છે કે, આનંદીબેન પટેલને પદ પરથી ઉતારી મૂકાયા એ અમારી ભૂલ હશે. હાર્દિકે  એ પણ કબૂલ્યું કે, પોતે અત્યાર સુધી આનંદીબેન પટેલના સંપર્કમાં નહોતો પણ હવે તેમનો સંપર્ક કરવા વિચારે છે. એક જાણીતા ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલને સવાલ પૂછાયો હતો કે, તમે  આનંદીબેન પટેલ સાથે સંપર્કમાં છો? હાર્દિક પટેલે આ સવાલનો જવાબ નકારમાં આપ્યો પણ સાથે સાથે એ પણ કહ્યું કે, હું આનંદીબેન પટેલનો સંપર્ક કરવાનુ વિચારું છું. હાર્દિકે એ માટે એવું કારણ આપ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ એમને બહુ હેરાન કરે છે. આનંદીબેન પટેલના જૂથના ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાઈ ગઈ છે. મારે એમને માત્ર એટલું પૂછવું છે કે, આજે પટેલની દીકરીએ અમિત શાહની દાદાગીરી સામે ઝુકવું પડે એ કેવી ગુલામી છે? હાર્દિકે એમ પણ કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન વખતે લોકો કહેતા કે હાર્દિક પટેલે પટેલની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડાવ્યું. હું માનું છું કે, અમારી ભૂલ હશે કે તમે પદ પરથી ઉતરી પણ ગયા પણ મારે એમને એટલું પૂછવું છે કે, આજે પટેલની દીકરીએ અમિત શાહની દાદાગીરી સામે ઝુકવું પડે એ કેવી ગુલામી છે?

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments