Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિકેટર ઈરફાન પઠાણના માઠા દિવસો,વડોદરાની ટી20 ટીમમાંથી પણ બહાર

ક્રિકેટર ઈરફાન પઠાણ
Webdunia
ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (15:41 IST)
એક સમયે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતા વડોદરાના ક્રિકેટર ઈરફાન પઠાણની પડતી ચાલી રહી છે.અગાઉ રણજી ટ્રોફી માટે વડોદરાની ટીમમાં નહી સમાવાયેલા ઈરફાન પઠાણને હવે વડોદરાની ટી ૨૦ ટીમમાંથી પણ પડતો મુકવામાં આવ્યો છે. ખરાબ ફોર્મ કે આંતરિક રાજકારણ જવાબદાર? મુનાફ પટેલનો પણ પસંદગીકારોએ સમાવેશ ના કર્યો. બરોડા ક્રિકેટ એસોસિએશનની પસંદગીકારોએ ઈરફાન પઠાણને રાજકોટમાં રમાનારી વેસ્ટ ઝોનની સૈયદ મુસ્તાક અલી ટી ૨૦ ટુર્નામેન્ટ માટે વડોદરાની ટીમમાં સામેલ કર્યો નથી.

૨૦૦૭માં સાઉથ આફ્રિકામાં રમાયેલી ટી ૨૦ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની વિજેતા બનેલી ભારતીય ટીમના સભ્ય ઈરફાન પઠાણને પસંદગીકારોએ વેસ્ટ ઝોનની ટી ૨૦ ટુર્નામેન્ટ માટે પણ પસંદ નહી કરતા ક્રિકેટ જગતમાં હલચલ મચી છે.પસંદગીકારોએ ઈરફાનના ખરાબ ફોર્મનુ કારણ આગળ ધર્યુ છે તો ઈરફાનની તરફેણ કરનારા જુથે બીસીએના આતંરિક રાજકારણને હકાલપટ્ટી માટે જવાબદાર ઠેરવ્યુ છે. ઈરફાનની સાથે સાથે ટીમ ઈન્ડિયાના એક સમયના ફાસ્ટ બોલર મુનાફ પટેલને પણ ટી ૨૦માં સ્થાન અપાયુ નથી.તેની સામે એક જ ઓવરમાં ઉપરા છાપરી વાઈડ ફેંકનાર બોલરને સમાવાયો છે તેવુ પણ ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments