Biodata Maker

Unlock 1: જાણો લોકડાઉન 5.0 માં જૂનથી દેશમાં શુ બદલાય જશે

Webdunia
શનિવાર, 30 મે 2020 (22:32 IST)
કોરોના વાયરસના પગલે દેશમાં 30 જૂન સુધી લોકડાઉનને વધારવાની જાહેરાત કરી છે. તેને અનલોક -1 નું નામ આપવામાં આવ્યું છે. એટલે કે, આ વખતે ઘણી વસ્તુઓમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે આ અંગે ગાઈડલાઈંસ રજુ કરી છે. તેમાં ધાર્મિક સંસ્થાઓ અને શોપિંગ મોલને શરૂ કરવાની જાહેરાત કરી છે.
 
શુ ખુલશે ? 
 
- આઠ જૂનથી શોપિંગ મૉલ ખોલવાની મંજુરી મળશે 
 
- 8 મી જૂનથી જે પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે તેમાં લોકો માટે ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરં અને અન્ય હોટલ સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.
 
- કન્ટેનમેન્ટ ઝોનની બહારની પ્રતિબંધિત ગતિવિધિઓને તબક્કાવાર ખોલવામાં આવશે.
 
- નાઇટ કર્ફ્યુ દેશભરમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે.
 
- ફેઝ -3 ની પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેટ્રો, સિનેમા, જીમ, સ્વિમિંગ પૂલ, બાર, એસેમ્બલી હોલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
 
-  જુલાઈમાં ફેઝ-2 માં શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.
 
- આંતર-રાજ્ય પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, જોકે રાજ્ય ઇચ્છે તો આ પરિવહનને નિયંત્રિત કરી શકે છે, પરંતુ આ માટે લોકોને અગાઉથી બતાવવુ પડશે.
 
- સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ, જિમ, રાજનીતિક સભાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.
 
- જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ ચાલુ રહેશે.
 
- જાહેર સ્થળોએ પાન, ગુટખા અને દારૂના સેવન પર પ્રતિબંધ ચાલુ રહેશે.
 
- માર્ગદર્શિકા કહે છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ કરો, વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહિત કરવાનુ કહેવામાં આવ્યુ છે. 
 
- કાર્યસ્થળો પર સ્ક્રીનીંગ અને સફાઇની સંપૂર્ણ વ્યવસ્થા કરવા અને સેનિટાઈઝેશન કરવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે.
 
-  કન્ટેન્ટ ઝોનની બહારનો બફર ઝોન, જ્યાં ચેપના કેસોની સંભાવના વધારે છે, તેની ઓળખ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ કરશે 
 
- બફર ઝોનમાં જરૂરીયાતના આધારે જિલ્લા વહીવટી  રોક લગાવી શકે છે.
 
- પરિસ્થિતિઓના અનુરૂપ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રતિબંધિત વિસ્તારોની બહારની કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી શકે છે અથવા પ્રતિબંધો લાગુ કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

આગળનો લેખ
Show comments