Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો લોકડાઉન સમાપ્ત થયુ તો ડિસેમ્બર સુધીમાં, દેશમાં અડધી વસ્તી કોરોના ચેપગ્રસ્ત થઈ શકે છે: વાયરસ વિશેષજ્ઞ વી. રવિ

Webdunia
શનિવાર, 30 મે 2020 (18:42 IST)
વરિષ્ઠ વાયરસ નિષ્ણાત વી રવિએ કહ્યું છે કે જો દેશમાં લોકડાઉન નાબૂદ કરવામાં આવે તો કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થશે. રાષ્ટ્રીય માનસિક આરોગ્ય અને ન્યુરો સાયન્સ(NIMHANS) ના ન્યુરોવાયરોલોજી વિભાગના હેડ અને કોરોના વાયરસ રોગચાળા અંગે કર્ણાટક સરકાર દ્વારા સ્થાપિત ટાસ્ક ફોર્સના નોડલ ઓફિસર વી રવિએ દેશમાં કોરોનાના કમ્યુનિટી સ્પ્રેડને લઈને ચેતવણી આપી છે 
 
મીડિયા રિપોર્ટ અનુસાર રવિએ કહ્યુ છે કે  "જો દેશમાં 31 મેના રોજ લોકડાઉન 4.0  સમાપ્ત થાય છે, તો જૂનથી કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધશે અને સમુદાય સ્તરે ફેલાશે." તેમણે કહ્યુ કે ડિસેમ્બરના અંત સુધી દેશની અડધી વસ્તી સંક્રમિત થઈ ગઈ હશે, જોકે 90 ટકા લોકોને એ ખબર પણ નહીં પડે કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.
 
તેમણે જણાવ્યું  કે  ફક્ત 5-10 ટકા કેસોમાં હાઈ ફ્લો ઓક્સિજનની મદદથી સારવારની જરૂર પડશે અને માત્ર 5 ટકા વેન્ટિલેટરની જરૂર પડશે. તેમણે રાજ્યોને 
 
સલાહ આપી હતી કે આરોગ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખવુ જોઈએ.    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ  (આઈસીએમઆર)   એ તમામ રાજ્ય 
 
સરકારોને તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછા બે ટેસ્ટીંગ લેબ બનાવવાની સલાહ આપી છે બુધવારે  કર્ણાટક 60 લૈબના લક્ષ્યને પૂર્ણ કરનારું પ્રથમ રાજ્ય 
 
બન્યું છે.
 
દેશમાં કોરોના મૃત્યુદર અંગે વી રવિએ જણાવ્યું હતું કે દેશમાં તે 3 થી 4% રહ્યો છે, ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુ દર 6% છે. ઍમણે કહ્યુ, "આપણે રસી માટે આવતા વર્ષે માર્ચ સુધી રાહ જોવી પડશે." લોકો બધી સાવચેતી રાખીને, કોવિડ -19 સાથે રહેવાનું શીખી જશે. કોરોના વાયરસ ઈબોલા, મંગળ અને સાર્સ જેવા જીવલેણ નથી.
 
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે 24 માર્ચથી લોકડાઉન અમલમાં છે. હાલમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે જેનો આવતીકાલે અંત થશે. સરકારે હજુ સુધી ઘોષણા કરી નથી કે દેશમાં તા .1 જૂનથી લોકડાઉનનો પાંચમો તબક્કો શરૂ થશે કે કેમ. દેશમાં છેલ્લા 24 કલાકમાં
રેકોર્ડમાં કોરોના ચેપના લગભગ 8 હજાર નવા કેસો મળી આવ્યા છે અને 11 હજારથી વધુ સાજા પણ થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments