Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં ફરી શરૂ થશે શાળાઓ ? શું ઓફલાઇન વર્ગો શરુ થશે ?

Webdunia
બુધવાર, 26 જાન્યુઆરી 2022 (15:03 IST)
જ્યારે પણ સરકાર શાળા ખોલવાનુ નિર્ણય લેશે ત્યારે કોરોનાની સ્થિતિ અને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને જ નિર્ણય લેશે.  કોરોનાને લીધે શિક્ષણમાં નુકસાન થયુ છે તો સાથે બાળકોની ચિંતા કરવી પણ જરુરી છે.
 
છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. રાજ્યમાં આજે નવા 16,467 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 17,467 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,48,405 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.77 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,43,811 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
 
અમદાવાદમાં 5,386,વડોદરામાં 3,802,સુરતમાં 1,476,રાજકોટમાં 1,376,ગાંધીનગરમાં 480,જામનગરમાં 446,ભાવનગરમાં 315,મહેસાણામાં 277,ભરૂચમાં 273,રાજકોટ ગ્રામ્યમાં 273,મોરબીમાં 254,કચ્છમાં 244,વલસાડમાં 238,પાટણમાં 196,બનાસકાંઠામાં 172,સાબરકાંઠામાં 159,આણંદમાં 156,નવસારીમાં 154,અમરેલીમાં 151,જૂનાગઢમાં 149,ખેડામાં 136,સુરેન્દ્રનગરમાં 124,પંચમહાલમાં 98,તાપીમાં 77,દાહોદમાં 41,ગીર-સોમનાથમાં 38,પોરબંદરમાં 27,દેવભૂમિ દ્વારકામાં 22,છોટા ઉદેપુરમાં 20,મહીસાગરમાં 16 ,નર્મદામાં 13, ડાંગમાં 10 અને અરવલ્લીમાં 9 કેસ નોંધાયા છે.
 
એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. પરિણામે ઓનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવ્યુ છે. પરંતુ આવનારા નજીકના દિવસોમાં શાળાના વર્ગો ઓફલાઇન શરુ કરવાની માગ કરવામાં આવી છે. આ અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યુ કે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર નિર્ણય લેશે. કોરોનાને કારણે શિક્ષણમાં ઘણુ નુકસાન થયુ છે પરંતુ બાળકોની સુરક્ષા મુદ્દે કોઇ સમાધાન નહી કરવામાં આવે. મહત્વનુ છે કે રાજકોટ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જીતુવાઘાણી હાજર રહ્યા હતા તે સમયે તેમણે શાળા અંગે આ નિવેદન આપ્યુ હતું.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments