Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદેશથી પરત ફરેલા 110 લોકો ઘરની બહાર નહીં જઈ શકે, સંપર્કમાં આવેલા 700નું આજથી સ્ક્રીનિંગ

Webdunia
મંગળવાર, 17 માર્ચ 2020 (12:14 IST)
ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર લોકોમાં ભય રૂપે જોવા મળી રહ્યો છે. સરકારે હવે એપેડેમિક ડિસીઝ રેગ્યુલેશન એક્ટ લાગુ કર્યો છે જેનાં કાયદા પ્રમાણેના 10મા મુદ્દા અંતર્ગત વિદેશથી આવતા લોકો આઈસોલેશનમાં જવાનો ઈન્કાર કરે તો તંત્ર પાસે આવા યાત્રીકોની મરજી વિરૂદ્ધ તેમને આઈસોલેશનમાં રાખવામાં આવે તેવી સત્તા રહેશે. રાજકોટ શહેરમાં વિદેશથી આવેલા 76, જ્યારે ગ્રામ્યમાં 34 યાત્રિકો છે જે 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે. આ તમામને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવાઈ છે અને જો તેઓ આઈસોલેશનમાં રહેવાની ના પાડે તો તંત્ર તેમને અલગથી આઈસોલેશનમાં રાખી શકશે. કોરાના શંકાસ્પદોની સંખ્યા વધતા આ લોકોના ક્લોઝ કોન્ટેક્ટ જેમ કે પરિવારજનો સહિતના 700 લોકોનું મંગળવારથી સ્ક્રીનિંગ શરૂ થશે. જૈન વિઝનના જણાવ્યા અનુસાર કોરોનાને લઈને ભીડ ન કરવા માટે સરકારે પ્રયાસો આદર્યા છે જેને માન આપીને આગામી સમયમાં મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ રદ કરાયો છે. ખોડલધામ ટ્રસ્ટે 31 માર્ચ સુધી કોઇ ધાર્મિક કાર્યક્રમો ન કરવા તેમજ ભાવિકોને મોટી સંખ્યામાં ન આવવા વિનંતી કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

આગળનો લેખ
Show comments