Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Virus- સીબીએસઈએ બોર્ડ પરીક્ષાઓ માટે કર્યુ મોટું ફેરફાર આજથી થશે લાગૂ

Corona Virus- સીબીએસઈએ બોર્ડ પરીક્ષાઓ માટે કર્યુ મોટું ફેરફાર આજથી થશે લાગૂ
, મંગળવાર, 17 માર્ચ 2020 (11:57 IST)
કોરોનાના સતત વધતા સંક્રમણના વચ્ચે કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઈ)એ બોર્ડ પરીક્ષાઓમાં મોટું ફેરફાર કર્યુ છે. તેના માટે બધી પરીક્ષા કેંદ્ર પર આ ફેરફાર મંગળવારથી લાગૂ થઈ જશે. 
 
સીબીએસઈ દહેરાદૂન રિજનલ ઓફિસર રણબીર સિંહ દ્વારા આખા પ્રદેશના તમામ પરીક્ષા કેન્દ્રોને પત્ર પાઠવવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડની સૂચના મુજબ હવે તમામ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું એક મીટર હોવું જોઈએ. હમણાં સુધી, એક પરીક્ષામંડળમાં 24 વિદ્યાર્થીઓ બેસતા હતા, જે ઘટાડીને 12 કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને વધારાના ઓરડામાં બેસવાની વ્યવસ્થા કરવી પડશે.
 
ઓરડાઓ ઓછા હોય તો વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી, ઓડિટોરિયમ, લેબ વગેરેમાં વ્યવસ્થા કરવી પડશે. બોર્ડે તુરંત આ હુકમનો અમલ કર્યો છે એટલે કે મંગળવારે યોજાનારી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર એક મીટરનું રહેશે. આ સૂચનાનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વાયરસથી ભારતમાં ત્રીજી મૌત, મુંબઈમાં વૃદ્ધની મોત