Biodata Maker

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસે દિવસે બેકાબુ થઈ રહ્યો છે

Webdunia
શુક્રવાર, 1 મે 2020 (18:03 IST)
ગુજરાતમાં કોરોનાનો કેર દિવસને દિવસે વધી રહ્યો છે. એક સમયે રાજ્યમાં દિવસના 20થી 50 કેસ નોંધાતા હતા હવે એ આંકડો 300ને પાર પહોંચી રહ્યો છે. 30 એપ્રિલ સુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવના 4395 કેસ નોંધાયા છે. જ્યારે 214 દર્દીના મોત નીપજ્યા છે અને 613 દર્દીઓ સાજા થયા છે. 1લી એપ્રિલ સુધી રાજ્યમાં 87 પોઝિટિવ કેસ હતા જે 30 એપ્રિલે મહિનામાં વધીને 4395 થયા છે. એટલેકે એક જ મહિનામા રાજ્યમાં પોઝિટિવ કેસનોની સંખ્યામાં 50 ગણો વધારો થયો છે. એવી જ રીતે રાજ્યમાં 1લી એપ્રિલ સુધી 6 મોત હતા જે 30 એપ્રિલે વધીને 214 થયા છે, એટલે કે મૃત્યુમાં પણ એક મહિનામાં રાજ્યમાં 36 ગણો વધારો થયો છે. રાજ્યમાં જે પ્રકારે છેલ્લા 30 દિવસમાં પોઝિટિવ કેસ અને મૃત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે તે ચિંતા ઉપજાવે તેવો છે.  19 માર્ચે રાજ્યમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો હતો. શરૂઆતમાં રાજ્યમાં પોઝિટિવ કેસનોની સંખ્યા ધીમી ગતિએ વધી રહી હતી. 1 એપ્રિલે રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા 87એ પહોંચી હતી. આમ 14 દિવસમાં રાજ્યમાં 87 કેસ વધ્યા હતા. 2 એપ્રિલથી કેસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો. 2 એપ્રિલથી 15 એપ્રિલ એટલે કે બીજા 14 દિવસમાં રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 868 થઇ હતી. એટલેકે  આ 14 દિવસમાં રાજ્યામાં 781 પોઝિટિવ કેસ વધ્યા હતા. 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં એટલે કે 15 દિવસમાં રાજ્યમાં 3527 પોઝિટિવ કેસ વધ્યા છે. 22 માર્ચે રાજ્યમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં નોંધાયું હતું અને 1 એપ્રિલે રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો કુલ આંક 6 હતો. જ્યારે 2 એપ્રિલથી 15 એપ્રિલ એટલે કે બીજા 14 દિવસમાં રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 36 થઇ હતી. એટલેકે  આ 14 દિવસમાં રાજ્યામાં 30 મૃત્યુ નોંધાયા હતા. 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં એટલે કે 15 દિવસમાં રાજ્યમાં 178 દર્દીના મૃત્યુ થયા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

વધુ જુઓ..

નવીનતમ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

60 વર્ષના થયા સલમાન ખાન, કેમરા સામે કાપ્યો કેક, બર્થડે પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, ધોની પણ જોવા મળ્યા

આગળનો લેખ
Show comments