Dharma Sangrah

હાઇકોર્ટે વર્તમાન સ્થિતિના કારણે ઉનાળુ વેકેશન રદ કર્યુ

Webdunia
શુક્રવાર, 1 મે 2020 (17:54 IST)
કોરોના વાઇરસે સર્જેલી મહામારીની પરિસ્થિતિના કારણે ગુજરાત હાઇકોર્ટે ઉનાળુ વેકેશન રદ કરવાનો નિર્ણય કરાયો છે. વકીલોની રજૂઆત તેમજ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષઈને ૧૧ મેથી ૭ જૂન સુધી નક્કી કરાયેલું વેકેશન રદ થયું છે. અત્યારે એક ડિવીઝન બેન્ચ અને જરૃર પડે તેટલી સિંગલ બેન્ચ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અરજન્ટ કેસોની સુનાવણી કરી રહી છે. હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા આજે જારી કરાયેલા પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે કે અગાઉ ૧૧મી મેથી ૭મી જૂન સુધી હાઇકોર્ટનું ઉનાળુ વેકેશન નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશની રજૂઆત તેમજ વર્તમાન મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વેકેશન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટે અગાઉ જાહેર કરેલા ઉનાળુ વેકેશન સંલગ્ન પરિપત્રો પણ રદ કરવામાં આવ્યા છે. હાલ હાઇકોર્ટમાં એક ડિવીઝન બેન્ચ તેમજ જરૃર પડે તેટલી સિંગલ બેન્ચ વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરી રહી છે. આ વ્યવસ્થામાં આગામી સમયમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરવામાં આવશે તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

વધુ જુઓ..

નવીનતમ

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

આગળનો લેખ
Show comments