Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોનાના નવા 313 કેસ, 17નાં મોત, કુલ કેસ 4395, કુલ મોત 214

ગુજરાતમાં કોરોનાના નવા 313 કેસ, 17નાં મોત, કુલ કેસ 4395, કુલ મોત 214
, શુક્રવાર, 1 મે 2020 (10:15 IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મોત થયા છે અને 86 દર્દી સાજા થયા છે. આ સાથે જ કુલ દર્દી 4395 થઈ ગયા છે. આજના કેસમાં અમદાવાદમાં જ 249 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં વડનગરના મોલિપુર ખાતે ત્રણ કેસ નોંધાયા છે.   ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને 8 આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિજય રૂપાણીએ ગુજરાત ગૌરવ દિવસ ગુજરાત વાસીઓને આ સંકલ્પ લેવાની કરી અપીલ