rashifal-2026

બનાસકાંઠામાં કોરોનાની એન્ટ્રી, બાળક સહિત બે પોઝિટિવ

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (15:05 IST)
ગુજરાતમાં એક પણ પોઝિટીવ કેસ ન હોય એવા જિલ્લાઓમાં શરૂ કરાયેલા ટેસ્ટીંગ દરમિયાન સરહદી જિલ્લા બનાસકાંઠામાંથી બે પોઝિટિવ કેસ મળ્યા છે. જેમાં એક સુરતથી પાલનપુર ગયેલા અને ખેંચની બિમારી ધરાવતા બાળકનો તેમજ અન્ય એક વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વડોદરાના કારેલીબાગમાં પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.  આ ઉપરાંત હોટ સ્પોટ અમદાવાદમાં વધુ તેર નવા કેસ શોધી શકાયા છે એની સાથે 76 વર્ષના ફેફસાંનીબિમારી ધરાવતા વૃધ્ધનું મોત થયુ છે. આ સાથે અમદાવાદમાં કુલ કેસ 295 થયા છે અને મૃત્યું આંક 13 થયો છે. આ સિવાય કોરોનાગ્રસ્ત આણંદ અને વડોદરામાં એક એક કેસ તથા સુરતમાં પાંચ નવા કેસ મળ્યા છે.ગઈકાલે રાત્રે વડોદરામાં 27 વર્ષના યુવાનનું મોત થયું છે તે યુવાન ડેંન્ગ્યુ થયો હતો. એના પિતા અને કાકાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડેંગ્યુને લીધે યુવાનની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઇ હોવાથી તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આમ, રાજ્યમાં કુલ પોઝેટીવ કેસ વધીને 538 થયા છે જેમાં 461 સ્ટેબલ અને ચાર વેન્ટીલેટર પર છે. 26 વ્યક્તિના મૃત્યું થયા છે. બીજી તરફ આજે વધુ ત્રણ વ્યક્તિ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે જેની સંખ્યા 47 થઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments