Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરા જમાતના અમદાવાદના મુખ્ય આમેદ સહિત 9 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (14:52 IST)
નિઝામુદ્દીન મરકજમાંથી આવેલા લોકો બાદ હવે તબલીગી જમાતના અન્ય સુરા ગ્રૂપના લોકોમાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. સુરા તબલીગી જમાતના કુલ 9 લોકો અત્યારસુધીમાં કોરોના પોઝિટિવ જણાઇ આવ્યા છે અન્યની તપાસ ચાલુ હોવાનું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. ગુજરાતના તબલીગી જમાતના સૌથી મોટા ગ્રૂપ સુરાના અમદાવાદ ખાતેના મુખ્ય આમેદ પણ કોરોના પોઝિટિવ જણાયા છે. ઝાએ કહ્યું કે, સુરા ગ્રૂપના ભરૂચ ખાતેના 5 જમાતી અગાઉ કોરોના પોઝિટિવ જણાયા હતા. વધુ 26 સુરા જમાતીઓને ભરૂચ જિલ્લાના બે ગામ કેવલગામ તથા પારખેડ ગામથી મળી આવ્યા છે. આ પૈકી ત્રણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.ભરૂચથી લોકડાઉન પહેલા 13 જમાતીઓ ભરૂચથી ભાવનગર ગયા હતા, પરંતુ તેઓ લોકડાઉન બાદ ભાવનગરથી પરત ભરૂચ આવ્યા હોવાથી 13 જમાતી તથા ખાનગી વાહનના ડ્રાઇવર સામે ભાવનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં મળી આવેલા તમામ સુરા જમાતીઓના મેડિકલ ટેસ્ટ તથા ક્વોરન્ટાઇનની પ્રક્રિયા ચાલુ છે. બીજીતરફ નિઝામુદ્દીન મરકજમા ગયેલા તબલીગી જમાતના વધુ કોઇ જમાતી મળી આવ્યા નથી. ઝાએ તેમ પણ જણાવ્યું કે આ 3 જમાતી રાજ્યમાં લોકડાઉનનો અમલ કરાયો તે પૂર્વે ભરૂચથી ભાવનગર ગયા હતા, પરંતુ લોકડાઉન અમલી બનાવ્યા બાદ ખાનગી વાહનમાં તે ભાવનગરથી ભરૂચ પરત આવ્યા હતા. તેથી તેમના વિરુદ્ધ ઉપરાંત ડ્રાઇવર સહિત 13 સામે ગુનો દાખલ કરાયો છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે શૂરા જમાતના ભરૂચના પાંચ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ વિસ્તારના બે અલગ-અલગ ગામો દેવળ અને પારખેડમાં 13-13 જમાતીઓ ત્યાંની મસ્જિદોમાં રોકાયા હતા અને પોલિસને તપાસ દરમિયાન મળી આવ્યા હતા. આ તમામના કોરોના ટેસ્ટ કરાવાતાં વધુ ત્રણ લોકો પોઝિટિવ આવ્યાં છે. જ્યારે અન્ય લોકોના હેલ્થ ચેક-અપ અને ક્વોરન્ટાઇન સ્ટેજ ચાલુ છે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments