Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિયા ચક્રવર્તીની વધી મુસીબત, સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો લાગ્યો ગંભીર આરોપ

Webdunia
સોમવાર, 22 જૂન 2020 (09:19 IST)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી પોલીસે આ મામલે પોતાની કાર્યવાહી ઝડપી કરી લીધી છે. પોલીસ જાણ કરવાની કોશિશ કરી રહી છે કે એવુ તે શુ થયુ હતુ કે સુશાંતે સુસાઈડ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન અભિનેત્રી રિયા ચક્રવર્તી માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બિહારમાં સુશાંતના નિકટના મિત્ર પર કેસ નોંધવામા આવ્યો છે. 
 
સુશાંતના કેસમાં રિયાની વધી મુશ્કેલીઓ
 
એકટ્રેસ રિયા ચક્રવર્તી પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે સુશાંતને આત્મહત્યા કરવા ઉશ્કેર્યો હતો.  મુઝફ્ફરપુરમાં પતાહીમાં રહેનાર કુંદન કુમારે રિયા ચક્રવર્તી પર આ ગંભીર આરોપ લગાવ્યો છે. શનિવારે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે આગામી 24 જૂનના સુનવણી કરવામાં આવશે.
 
કુંદન કુમાર અનુસાર રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતનો ઉપયોગ કર્યો હતો. રિયાએ સુશાંતને માનસિક અને આર્થિક રૂપથી હેરાન કરી દીધો હતો. કુંદનને એવુ પણ લાગી રહ્યુ છે કે જ્યારે રિયા સેટ થઈ ગઈ તો તેણે સુશાંતને છોડી દીધો. બીજી બાજુ કુંદન કુમારના વકીલે પણ કેટલીક એવી વાત બતાવી છે - મરા ક્લાયંટ સુશાંતના ખૂબ મોટા ફેન રહ્યા છે. તેમના સુસાઈડ પછી તેઓ ખૂબ પરેશાન છે. તેમણે IPCની ધારા 306 અને 420 હેઠળ મામલો નોંધાવ્યો છે. 
 
બોલિવૂડના દિગ્ગજો પણ મુશ્કેલીમાં
થોડા સમય પહેલા મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તીએ 9 કલાક સુધી પુછપરછ કરી હતી. જ્યારે સુશાંતની આટલી નજીક હોવાથી એ જાણતી જ હોઇ કે સુશાંતે આવુ પગલુ કેમ ભર્યુ. થોડા દિવસ પહેલા જ એક બીજા વકીલે બોલિવૂડના દિગ્ગજ કલાકારો વિરૂદ્ધ અરજી કરી છે. આ યાદીમાં કરણ જૌહર, એકતા કપૂર જેવા દિગ્ગજ નામોનો સમાવેશ થાય છે.આ તમામ પર સુશાંતની કરિયર બરબાદ કરવાનો આરોપ લાગ્યો છે.

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments