Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ પછી પણ અંકિતા લોખંડેએ તેના પ્રેમની નિશાની સાચવી રાખી હતી, એક્ટરના મૃત્યુ બાદ સત્ય સામે આવ્યું

સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ પછી પણ અંકિતા લોખંડેએ તેના પ્રેમની નિશાની સાચવી રાખી હતી, એક્ટરના મૃત્યુ બાદ સત્ય સામે આવ્યું
, શનિવાર, 20 જૂન 2020 (11:41 IST)
સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે લાંબા સમયથી એકબીજાની સાથે હતા. બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં, પણ પછી થોડા વર્ષો પછી અચાનક અલગ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે અંકિતા સુશાંતને જેટલો પ્રેમ કરતી હતી એટલુ જે તેનો રિસ્પેક્ટ પણ કરતી હતી જેટલી તેણી કરે છે. આટલું જ નહીં, ભલે આ બંનેના બ્રેકઅપને ઘણા વર્ષો થયા હતા, પરંતુ સુશાંતના મોતથી અંકિતા ખૂબ ભાંગી પડી છે. . તે સુશાંતના પરિવારને તેના ઘરે મળવા પણ ગઈ હતી
 
સુશાંતને લઈને અંકિતાના મનમાં એટલો રિસ્પેક્ટ છે હતો કે તેણે પોતાના ઘરના નેમપ્લેટ પરથી સુશાંતનુ નામ હટાવ્યુ નહોતુ. આ વાતની માહિતી  સુશાંત અને અંકિતાના મિત્ર સંદીપસિંહે આપી
 
ઉલ્લેખનીય છે કે સંદીપે સુશાંત અને અંકિતાને લઈને ઈમોશનલ પોસ્ટ કરી. તેમણે લખ્યુ, અંકિતા તે ફક્ત તેની ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી. તારો પ્રેમ સાચો હતો. તે હજુ પણ તારા ઘર ના નેમપ્લેટ પરથી તેનુ નામ હટાવ્યુ નથી. 
 
સુશાંતને અંકિતા બચાવી શકતી હતી 
 
સંદિપે આગળ એ પણ લખ્યુ, 'મને ખબર છે કે ફક્ત તમે (અંકિતા) જ તેને બચાવી શકતા હતા. કાશ તમે બંનેના લગ્ન થઈ જતા જેવુ કે આપણે સપનુ જોયુ હતુ તમે તેને બચાવી શકતી હતી. જો તે બસ તમને ત્યા રહેવા દેતો. તમે તેની પ્રેમિકા, તેની પત્ની, તેની માતા, હંમેશા માટે તેની સૌથી સારી મિત્ર હતી. હુ તમને પ્રેમ કરુ છુ અંકિતા. મને આશા છે કે હુ તમારા જેવા મિત્રને ક્યારેય નથી ગુમાવી શકતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- એક છોકરીએ પૂછ્યું