Webdunia - Bharat's app for daily news and videos

Install App

અટલ બિહારી વાજપેયી ભારત રત્ન મેળવનારા 7માં પીએમ બન્યા

Webdunia
શુક્રવાર, 27 માર્ચ 2015 (18:13 IST)
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આજે દેશનુ સૌથી મોટુ સન્માન ભારત રત્ન આપવામાં આવ્યુ. આ સન્માન તેમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા આપવામાં આવ્યુ. ખરાબ સ્વાસ્થ્ય હોવાને કારણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રોટોકોલ તોડીને વાજપેયીના ઘરે જઈને જ આ સન્માનથી સન્માનિત કર્યા. આ અવસર પર વાજપેયીના ઘરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી સુષમા સ્વરાજ, રક્ષા મંત્રી મનોહર પર્રિકર, મુરલી મનોહર જોશી અને અન્ય ગણમાન્ય લોકો હાજર હતા. 
 
વાજપેયી ભારત રત્ન મેળવનારા દેશના સાતમાં પ્રધાનમંત્રી હશે. આ પહેલા જવાહર લાલ નેહરુ, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી મોરારજી દેસાઈ, લાલ બહાદુર શાસ્ત્રી અને ગુલજારીલાલ નંદાને આ સન્માન મળી ચુક્યુ છે. દેશના 45માં નાગરિક છે.  અડધી સદીથી વધુ રાજનૈતિક યાત્રામાં વાજપેયી એ પસંદગીના નેતાઓમાંથી રહ્યા છે જેમના વિરોધી પણ તેમનુ ખૂબ સન્માન કરે છે. ગઠબંધન ધર્મને નિભાવવુ એ બીજા નેતાઓને વાજપેયીએ જ શિખવાડ્યુ. વર્ષ 1951માં જનસંઘની સાથે ઔપચારિક રૂપે રાજનીતિના મેદાનમાં પગ મુકનારા વાજપેયી એ 3 વાર દેશની કમાન સાચવી. 
 
પહેલા 13 દિવસ પછી 13 મહિના અને પછી પૂરા પાંચ વર્ષ સુધી. વાજપેયી એકમાત્ર એવા નેતા હતા જે જ્યારે બોલવુ શરૂ કરતા તો સદનનો દરેક સભ્ય કોઈપણ પ્રકારના વિરોધ વગર સાંભળતો હતો. તેમની ભાષણ કલાના કાયલ તો દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પણ હતા. વાજપેયી સારા રાજનેતા રહ્યા તો કોમળ હ્રદય કવિ પણ.  તમામ મુદ્દા પર તેમની કલમમાંથી નીકળેલી કવિતાઓ લોકોના દિલ સુધી પહોંચી. 
 
બીજી બાજુ ગયા વર્ષે ડિસેમ્બરમાં વાજપેયી ઉપરાંત જાણીતા સ્વાધીનતા સેનાની અને બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પંડિત મદન મોહન માલવીયને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત થઈ હતી. માલવીયને 31 માર્ચના રોજ ભારત રત્ન આપવામાં આવશે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments